ઇન્કમટેક્સ ટ્રિબ્યૂનલે દરોડા અને તપાસ કાર્યવાહી દરમિયાન કરદાતાના લોકરમાંથી મળી આવેલ જૂની જ્વેલરીની બાબતમાં રાહત આપતાં એવો ચુકાદો આપ્યો છે કે વર્ષોજૂની જ્વેલરીની વર્તમાન કિંમત પર વેલ્યુએશન કરીને તેને અઘોષિત સંપત્તિના દાયરામાં લાવી શકાય નહીં.
હવે ઇન્કમટેક્સ અધિકારી કોઇ પણ કરદાતા (એસેસી)ના લોકરમાં પડેલી જૂની જ્વેલરીને અઘોષિત સંપત્તિ જાહેર કરી શકશે નહીં. ઇન્કમટેક્સ ટ્રિબ્યૂનલે દરોડા અને તપાસ કાર્યવાહી દરમિયાન કરદાતાના લોકરમાંથી મળી આવેલ જૂની જ્વેલરીની બાબતમાં રાહત આપતાં એવો ચુકાદો આપ્યો છે કે વર્ષોજૂની જ્વેલરીની વર્તમાન કિંમત પર વેલ્યુએશન કરીને તેને અઘોષિત સંપત્તિના દાયરામાં લાવી શકાય નહીં.
આવું ત્યારે જ કરી શકાય જ્યારે એવા પુરાવા હોય કે તે જ્વેલરી સંબંધિત તપાસના સમયગાળા દરમિયાન આ જ્વેલરી ખરીદવામાં આવેલી હોય. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલની જયપુર બેન્ચે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જડતીની કાર્યવાહી દરમિયાન કરદાતાના લોકરમાંથી મળેલી પારિવારિક જ્વેલરીને અઘોષિત સંપત્તિ ગણવા ઇનકાર કર્યો છે અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઇન્કમટેક્સ એકટની કલમ-ર૭૧ એએબી હેઠળ જારી કરાયેલા આદેશનેે રદબાતલ ઠરાવ્યો છે.
ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલે જણાવ્યું છે કે લોકરમાં રાખવામાં આવેલ પારિવારિક કે વ્યકિતગત ઘરેણાંને ઇન્કમટેક્સ વિભાગે વર્તમાન કિંમત પર વેલ્યુએશન કરાવીને કરદાતાની અઘોષિત સંપત્તિમાં સામેલ કરે છે અને તેના પર પેનલ્ટી લગાવવામાં આવેલ છે, પરંતુ આ ઘરેણાં અને જવેલરી ક્યારે ખરીદવામાં આવ્યાં હતાં તે સ્પષ્ટ નથી. જ્યારે કરદાતાનો એવો દાવો છે કે આ ઘરેણાં વર્ષોજૂનાં છે.
ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલે જણાવ્યું છે કે ઘરેણાં અને જ્વેલરીને અઘોષિત સંપત્તિ જાહેર કરવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે તેની ખરીદી કે હસ્તાંતર એ સમયગાળામાં થયેલું હોવું જોઇએ, જે સમયગાળામાં ટેકસનો મામલો બન્યો હોય.
એસેિસંગ ઓફિસર અને ઇન્કમટેક્સ કમિશનરે જ્વેલરીની ખરીદી કે પ્રાપ્ત કરવાની તારીખ અંગે કોઇ પુરાવા એકત્ર કર્યા નથી અને તેથી કરદાતા પર કલમ-ર૭ એએબી હેઠળ જ્વેલરીને અઘોષિત સંપત્તિ જાહેર કરીને પેનલ્ટી લગાવવાનો આધાર બનતો નથી. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલે એવું પણ જણાવ્યું છે કે લોકરમાં રાખવામાં આવેલ જ્વેલરી પરિવારના અન્ય સભ્યની પણ હોઇ શકે અને પેઢી દર પેઢી તેનું હસ્તાંતરણ પણ થયું હોવું જોઇએ.