વડોદરામાં એક વડિલે માંજલપુરમાં બહુમાળી રહેણાંક ઈમારતના સાતમાં માળેથી પડતુ મુકીને આપઘાત કરી લેતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. તમામ લોકોમાં ચર્ચા ઉઠી હતી કે, વડિલને એવું તે શું દુખ પડ્યુ હશે કે તેમણે આ ઉમંરે જીવન ટુંકાવવું પડ્યુ હશે?
વડોદરાના માંજલપુરમાં વૃદ્ધે કર્યો આપઘાત
સતર્વ હાઈટ્સ બિલ્ડિંગ પર મુક્યુ પડતું
7 માં માળે થી કૂદી કર્યો આપઘાત
વડોદરાના માંજલપુરમાં વૃદ્ધના આપઘાતની ઘટના સામે આવી છે. સતર્વ હાઈટ્સના સાતમા માળેથી વૃદ્ધે પડતુ મુકીને આપઘાત કર્યો છે.
CCTV આવ્યા સામે
આપઘાત કરનાર વડિલ સતર્વ હાઈટ્સના રહેવાસી નથી તે કોઈ અન્ય સોસાયટીમાં રહેતા હતા પરંતુ વૃદ્ધે સતર્વ હાઈટ્સના સાતમાં માળેથી આપઘાત કર્યો. સોસાયટીમાંથી નિકળતા વૃદ્ધના CCTV સામે આવ્યા છે.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
વૃદ્ધના આપઘાતની ઘટનાની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા તુરંત જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથધરી છે.