હાલ સુરત શહેર એક અનોખા લગ્નનું સાક્ષી બન્યું છે. અંકલેશ્વરના વરરાજા અને મુંબઇની વધુના અનોખા લગ્ન સુરતમાં થયા અને ત્યારબાદ શહેરમાં જ સત્કાર સમારંભ પણ યોજાયો હતો. 68 વર્ષીય વર અને 65 વર્ષીય વધુના અનોખા લગ્ન યોજાયા હતા. દીકરીએ માતાને હરખથી વળાવી હતી.
લગ્ન કરવાની કોઇ ઉંમર હોતી નથી
સુરત શહેર એક અનોખા લગ્નનું સાક્ષી બન્યું
68 વર્ષીય વર અને 65 વર્ષીય વધુના અનોખા લગ્ન
જીવનના એક પડાવ ઉપર વ્યક્તિ પહોંચે એટલે એને કોઇના સાથની જરૂર પડે પરંતુ વ્યક્તિના પરિવારમાં કોઇ પણ ન હોય ત્યારે તે પોતાની એકલતા દૂર કરવા માટે શું કરે? તો વળે જીવનસાથીની શોધ તરફ. આમ તો લગ્ન કરવાની કોઇ ઉંમર હોતી નથી પરંતુ સમાજ દ્વારા યુવા વયે લગ્ન કરવાની પરંપરા છેલ્લી કેટલીય સદીઓથી ઘડી કાઢવામાં આવી છે. ત્યારે લોકો યુવા વયે નહીં પરંતુ આઘેડ વયે લગન કરે છે. આવો જ એક કિસ્સાનું સાક્ષી સુરત શહેર બન્યું છે.
સુરત શહેરમાં હાલમાં એક લગ્ન અને સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું. જે લગ્ન કોઇ યુવાન નહીં પરંતુ 68 વર્ષીય આધેડના હતા. આધેડ વયે લગ્ન કરવાની શું જરૂર પડી એ પ્રશ્ન આપને સતાવતો હશે. તો આપના પ્રશ્નનો જવાબ પણ આપી દીઇએ. અંકલેશ્વર ખાતે રહેતા હરીશભાઇ પટેલની પત્નીનું બિમારી બાદ અવસાન થયું અવસાન થયા બાદ તેઓ એકલતા અનુભવતા હતા. તેઓ દ્વારા અનુબંધ ફાઉન્ડેશનને એકલતા દૂર કરવા લગ્ન કરવા ઉત્સુક હોવાનું જણાવ્યું હતું.
લગ્ન બાદ હરીશભાઈ અને જ્યોત્સનાબેન હનીમૂન કરી આવ્યાબાદ લગ્ન સત્કાર સમારંભ યોજાયો
તો બીજી તરફ મુંબઇ ખાતે રહેતા જ્યોત્સનાબેન જૈન બે દીકરી અને એક દિકરાના લગ્ન અને પતિના ગુજરી ગયા પછી એકલતા અનુભવતા હતા. તેઓ ગત વર્ષે અનુબંધ ફાઉન્ડેશન દ્વારા મુંબઇમાં એક સમારંભ યોજ્યો હતો. ત્યારબાદ તેમને પણ લગ્ન કરવાની ઇચ્છા થઇ. લગ્ન માટે અનુબંધ ફાઉન્ડેશન દ્વારા બને વ્યક્તિઓ સાથે ચર્ચા કરાઇ અને નક્કી થયા લગ્ન. લગ્ન બાદ હરીશભાઈ અને જ્યોત્સનાબેન ત્રણ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી, 2 દિવસ પોઇચા અને 2 દિવસ સાપુતારા ખાતે હનીમૂન કરી આવ્યા બાદ સુરત ખાતે તેમના લગ્નનો સત્કાર સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. આ નવા કપલે પોતે હવે લગ્ન બાદ વડોદરા રહેવા જવાનું પણ નક્કી કર્યું છે.