આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના-ચાંદીની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દિવાળી બાદ થોડા ઘણાં અંશે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
દિલ્હીના સરાફા બજારમાં સોનાની કિંમતમાં 580 રૂપિયા ઘટતા સોનુ પ્રતિ 10 ગ્રામ 32 070 થવા પામ્યું હતું. આ સાથે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો નોંધાતા તેમાં 1530 રૂપિયાની ઘટ જોવા મળી હતી. આ સાથે જ ચાંદી પ્રતિકિલો ગ્રામ 38000 થવા પામેલ.
ઉલ્લેખનીય છે કે લંડન અને ન્યૂયોર્ક તરફથી મળેલ જાણકારી મુજબ ગયા સપ્તાહે સોનામાં અંશત: ઘટાડો નોંધાવા પામ્યો હતો.
દિવાળી બાદ જોવા મળ્યો સતત ઘટાડો
દિવાળીનો સમયગાળો નજીક આવતાની સાથે જ સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. જો કે તહેવારોની મોસમ પૂર્ણ થતાં જ ફરીવાર સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો હોત અને છેલ્લા ચાર દિવસથી સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાઇ રહ્યો છે.
નિષ્ણાંતોના મત પ્રમાણે સોનાના ભાવ 34 હજાર પહોંચવાની સંભાવના હતી જો કે આ સાથે ભાવ 32થી 33 હજાર સુધી થવા પામ્યો હતો અને ત્યારબાદ દિવાળીના તહેવાર બાદ છેલ્લા 4 દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાતા સોના-ચાંદીના ઘરેણાં ખરીદનાર લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળેલ.