વ્હાઈટ અને તુટતા વાળ યુવાનો સહિત દરેક ઉંમરના ગ્રુપના લોકોને પરેશાન કરી રહ્યાં છે, પરંતુ ગભરાવવાના બદલે અમુક દેશી તેલનો ઉપયોગ કરો.
વ્હાઈટ અને તુટતા વાળથી પરેશાન છો?
ગભરાવવાના બદલે અમુક દેશી તેલનો ઉપયોગ કરો
વાળની બધી સમસ્યામાંથી મળી જશે છૂટકારો
શું તમે ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો?
હાલના સમયમાં વાળની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. બાળકો, વૃદ્ધ, જવાન, મહિલાઓ અને પુરૂષ બધા વ્હાઈટ, તૂટતા અને પાતળા વાળની સારવાર શોધવામાં વ્યસ્ત રહે છે, પરંતુ તમામ પ્રયાસ બાદ પણ ઈચ્છિત પરિણામ મળતુ નથી. હેર કેર માટે જરૂરી નથી કે તમે મોંઘા પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરો, પરંતુ કેટલાંક દાદી-નાનીના સમયના નુસ્ખા પણ તમારા કામમાં આવી શકે છે. આવો જાણીએ કે ઘરમાં બે પ્રકારના તેલનો કેવીરીતે ઉપયોગ કરશો. જેનાથી વાળની બધી સમસ્યામાંથી છૂટકારો મળી જાય.
વરિયાળીના બીજનુ તેલ
વરિયાળીના તેલમાં એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટી હોય છે, તેથી જે લોકોને વાળ ખરવાની પરેશાની થઇ રહી છે તેઓ આ તેલનો ઉપયોગ કરી શકે છે. આ વાળના મૂળીયાને મજબૂત બનાવે છે, હેરફૉલને ઘટાડે છે અને સાથે ડેન્ડ્રફની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. જેના વાળની ગ્રોથ સ્લો છે, તેમની સ્પીડ વધારવા માટે આ તેલ ઘણુ ઉપયોગી સાબિત થઇ શકે છે.
કરીના પત્તાનુ તેલ
કરી પત્તાનો ઉપયોગ સામાન્ય રીતે સાઉથ ઈન્ડિયન રેસિપી માટે કરવામાં આવે છે, પરંતુ તમને જાણીને હેરાની થશે કે આ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. કરી પત્તામાં એન્ટીઑક્સિડેન્ટ્સ અને એમીનો એસિડ હોય છે. જેનાથી હેર ફૉલિકલ્સને મજબૂતી મળે છે અને વાળનુ પાતલાપણુ દૂર થાય છે. આ પાનમાં રહેલ પ્રોટીન્સ અને બીટા-કેરોટીન વાળની ગ્રોથમાં મદદ કરે છે. જે લોકોના માથા પર નાની ઉંમરમાં વ્હાઈટ વાળ આવી ગયા છે, તેના માટે કરીના પત્તાનુ તેલ ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે.