દુનિયાના જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયાએ કોરોના વાયરસ સામેના જંગ માટે ભારતને મહત્વની સલાહ આપી છે. પનગઢિયાએ કહ્યું કે ભારતે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલની કિંમતનો ફાયદો ઉઠાવવો જોઇએ અને તેમાંથી મળેલ ફંડને કોરોના વાયરસ સામેની લડાઇમાં ઉપયોગ કરવો જોઇએ. પનગઢિયાના જણાવ્યાં મુજબ આ ફાયદો આમ જનતા વચ્ચે રોકડ ટ્રાન્સફર દ્વારા પહોંચવો જોઇએ.
કોરોના વાયરસ સામેના જંગ માટે ભારતને મહત્વની સલાહ
અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયાએ આપ્યું આ નિવેદન
ક્રૂડ ઓઇલની કિંમતમાં થઇ રહ્યો છે સતત વધારો
અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયાના જણાવ્યાં મુજબ કોરોનાવાયરસ સંકટ એવા આકસ્મિક સમયે સામે આવ્યું છે જ્યારે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટી રહ્યો છે. 1 માર્ચથી અત્યાર સુધીમાં કાચ્ચા તેલની કિંમતોમાં અંદાજે 30 ટકાનો ઘટાડો આવ્યો છે.
જેવી રીતે ભારત મોટા સ્તર પર ક્રૂડ ઓઇલનું આયાત કરી રહ્યું છે, જેને લઇને જ્યારે જ્યારે ઓઇલની કિંમત 10 ડોલર પ્રતિ બેરલ ઘટ્યાં, ત્યારે ભારતે 15 અરબ ડોલર (અંદાજે 1.13 લાખ કરોડ રૂપિયા) બચાવ્યાં. જ્યારે ઓઇલની કિંમત 65 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 30 ડોલર પ્રતિ બેરલ પહોંચે તો ભારતને અંદાજે 50 અરબ ડૉલર (3.80 લાખ કરોડ રૂપિયા)નો ફાયદો થયો.
નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અને હાલના સમયમાં અમેરિકા અને કોલંબિયા યૂનિવર્સિટીમાં પ્રોફેસર પનગઢિયાએ કહ્યું કે જો તેનાથી અડધા એક્સાઇઝ ટેક્સની સાથે મહેસૂલ પણ નિકળી જશે. એવામાં ભારતની નાણાંકીય ખોટનું લક્ષ્ય 3.5 ટકાની આસપાસ બની રહેશે.