ગત શનિવારના રોજ ગુજરાત રાજ્યમાં સોમવારથી શાળામાં ઓફલાઇન વર્ગો શરુ થશે એવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી દીધી છે.
આજથી શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ થશે
ધોરણ 1 થી 9નું ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ થશે
કોરોના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકારે લીધો નિર્ણય
આજ એટલે કે સોમવારથી શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરમાં કેસોમાં મોટો ઉછાળો આવતા ધોરણ 1થી 9ની શાળાઑ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ હવે સ્થિતિ એકદમ કાબૂમાં આવી જતાં ફરી ગુજરાત સરકારે જૂની ગાઈડલાઇન મુજબ ધોરણ 1 થી 9ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. મહત્વનું છે કે શાળાઓએ ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણ કાર્ય આપવાનું રહેશે. વાલીઓની સંમિત સાથે બાળકોને શાળાઓએ મોકલવાના રહેશે. જાન્યુઆરીમાં કેસ વધતા ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત
હવે ગુજરાતનાં બાળકોને ફરી દફતર પાટી લઈને તૈયાર થઇ જવાની જાહેરાત શિક્ષણમંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોતે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
1 મહિના પહેલા શાળાઑ કરાઇ હતી બંધ
આપને જણાવી દઈએ કે, 7 જાન્યુઆરીએ ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું હતું..રાજ્યમાં કોરોનના કેસમાં વધારો થતાં સરકાર દ્વારા ધોરણ 1થી 9 સુધીનું ઑફલાઈન શિક્ષણકાર્ય બંધ કરી ઓનલાઇન શિક્ષણ કાર્ય શરુ કરવાનો આદેશ અપાયો હતો.
સમય ઑછો અભ્યાસ વધુ અને ફિ પણ
ફરીએકવાર શાળાના પરિસરો વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગૂંજી ઉઠશે.વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને નવી SOPના પાલન સાથે શાળાએ મોકલશે.તો બીજી બાજુ ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓ માસ્ક, સેનેટાઈઝથી લઈને ગાઈડલાઈનના પાલન સાથે શિક્ષણકાર્ય શરૂ કરશે.હવે સવાલ એ છે કે સ્કૂલો પાસે પણ હવે દોઢથી 2 મહિનાનો સમય છે.વિદ્યાર્થીઓ પાસે પણ ખુબ ઓછો સમય છે.ત્યારે સ્કૂલો અને વિદ્યાર્થીઓ કેટલા તૈયાર છે?.વાલીઓને ફી મામલે વાલીઓની મૂંઝવણ શું છે? અને અભ્યાસક્રમ પર કેવી અસર પડી શકે છે?