બિહારના કૈમુરના ભગવાનપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાના વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ખુદ બિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહે કબૂલાત આપી હતી.
બિહારના કૃષિ મંત્રીની કબૂલાત
પોતાના વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું કબૂલ્યું
અધિકારીઓ 25થી 50 હજાર વસૂલે છે: સુધાકર
બિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહે પોતાના વિભાગમાં જ ભ્રષ્ટાચાર થતો હોવાની કબૂલાત કરતા ચર્ચા જાગી છે. મંત્રી સુધાકર સિંહે પોતાના વિભાગમાં અધિકારીઓ 25થી 50 હજાર વસુલતા હોવાનો આરોપ લગાવ્યો હતો. બિહારના કૈમુરના ભગવાનપુરમાં ખેડૂતોના સેમિનારનું આયોજન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સંબોધિત કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે મારા વિભાગના અધિકારીઓ ભ્રષ્ટ છે. જે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરતાં હોવાનું જણાવ્યું હતું.
આ સિસ્ટમ છેલ્લા 17 વર્ષથી છે: સુધાકર
વધુમાં તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ છેલ્લા 17 વર્ષથી ચાલી રહી છે. પરતું ટૂંક સમયમાં અધિકારીઑ ઠીક થઈ જશે. કારણ કે હું એક એપ લાવવા જઈ રહ્યો છું, આ એપ પરથી ખબર પડશે કે જિલ્લા અને તાલુકામાં ખાતરની દુકાનોમાં કેટલો ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. તેનાથી 3 વર્ષમાં ખેડૂતોને પડતી પાયાની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, માપણી અધિકારીએ રાત્રે 10 વાગ્યે પેટ્રોલ પંપ પર 10 લિટર તેલ લીધું હતું. આ દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારીએ પૈસા માંગતા તેણે કહ્યું હતું કે રજીસ્ટર પર નોંધ કરી નાખજો,. ત્યારબાદ આ અંગેની ફરિયાદ મળતાની સાથે જ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પરતું જ્યારે પણ તે દેખાશે, તમે તેને જૂતા વડે મારશો. એ ભ્રષ્ટ અધિકારીની જગ્યાએ ઈમાનદાર અધિકારી આવી રહ્યા છે. તેવું બિહારના કૃષિમંત્રીએ અંતમાં ઉમેર્યુ હતું.