કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટે કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવવાનો આદેશ આપી દીધો છે.
જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટનો ચુકાદો
કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવાનો આપ્યો આદેશ
મીડિયામાં માહિતી લીક કરવાના આરોપસર અજય મિશ્રાની સામે કરાઈ કાર્યવાહી
કોર્ટે સર્વે રિપોર્ટ બે દિવસની અંદર જમા કરાવી દેવાનો પણ આપ્યો આદેશ
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદ પરિસરની અંદર શિવલિંગ મળી આવ્યું હતું, જ્યારે મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે. આ કેસની આજે થયેલી સુનાવણીમાં કોર્ટે કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે.
મીડિયામાં માહિતી લીક કરવા બદલ અજય મિશ્રાને કમિશનર પદેથી હટાવ્યાં
અજય મિશ્રા મીડિયામાં માહિતી લીક કરતા હોવાથી કોર્ટે તેમની સામે કાર્યવાહી કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે અજય મિશ્રાના સહાયક આરપી સિંહ મીડિયામાં માહિતી લીક કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, કોર્ટને જાણવા મળ્યું કે, અજય મિશ્રાએ જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે એક ખાનગી વીડિયોગ્રાફર રાખ્યો હતો અને તે આ કેસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સતત મીડિયામાં વાત કરી રહ્યા હતા. આ કારણોસર તેમને હટાવી દેવાનું કોર્ટને જરુરી લાગ્યું હતું. વિશેષ કમિશનર વિશાલ સિંહે પણ ફરિયાદ કરી હતી કે અજય મિશ્રાએ જે પ્રાઈવેટ વીડિયોગ્રાફર રાખ્યાં છે તેઓ સતત મીડિયામાં ખબર લીક કરી રહ્યાં છે. આ વાતની ગંભીર નોંધ લેતા કોર્ટે તેમને આ કેસમાં મુક્તિ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
કોર્ટે રિપોર્ટ રજૂ કરવા આપ્યો 2 દિવસનો સમય
વારાણસી કોર્ટે બાકીના બે કમિશનર વિશાલ સિંહ અને અજય પ્રતાપ સિંહને 2 દિવસની અંદર સર્વેનો રિપોર્ટ જમા કરાવી દેવાનો આદેશ આપ્યો છે.
હવે 19 મેના દિવસે જ્ઞાનવાપી કેસની સુનાવણી થશે
હવે વારાણસી કોર્ટ 19 મેના દિવસે જ્ઞાનવાપી કેસની વધારે સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે
આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. સમિતિએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં સર્વે કરવા પર સવાલો ઉઠાવ્યા છે.
મુસ્લિમ પક્ષના વકીલનો દાવો- હિન્દુ પક્ષનો ઉપયોગ પાયાવિહોણો
મુસ્લિમ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ અભયનાથ યાદવના જણાવ્યા અનુસાર કોર્ટ કમિશનરે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો નથી અને બે દિવસનો સમય માગ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજી તદ્દન પાયાવિહોણી છે. નંદીની ધરી માપવા, દીવાલ તોડવાનું કહેવામાં આવ્યું છે, જે ખોટું છે. કાટમાળ હટાવવાની અરજી ખોટી કે કાયદેસર છે, આ માંગ ધાર્મિક સ્થળના કાયદાની વિરુદ્ધ છે. જેના પર કોર્ટે વિચાર કરવાનો નિર્ણય લેવાનો છે. અભયનાથ યાદવે વધુમાં જણાવ્યું હતું કે શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવે છે, તે પહેલા માળે છે, શિવલિંગ હવામાં ઝૂલતું નથી, શિવલિંગ જમીનમાં છે. શિવલિંગ પર હિન્દુ પક્ષનો દાવો તેનો પોતાનો અભિપ્રાય છે. આ રિપોર્ટમાં નક્કી કરવામાં આવશે કે શિવલિંગ છે કે નહીં. કોર્ટે વાંધા દાખલ કરવા માટે સમય આપ્યો છે, જે પછી અમે અમારો વાંધો દાખલ કરીશું.