રાજકોટ શહેર અને જિલ્લામાંથી કુલ 8 હજાર લોકોએ સહાય માટે માગણી કરી હતી તે પૈકી 6 હજાર લોકોને 30 કરોડ જેટલી રકમની સહાય ચૂકવી દેવામાં આવી છે
રાજકોટમાં સહાય માટે 8 હજાર અરજીઓ આવી
રાજકોટમાં કોરોનાથી મૃત્યુનો ચોંકાવનારો આંક
સરકારી આંકડા કરતા વધુ કેસમાં સહાય ચૂકવાઇ
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કારણે 727 લોકોના મૃત્યુ થયા છે તેવી સત્તાવાર આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી હતી પરંતુ જ્યારે મૃતકોના વારસદારોને 50 હજારની સહાય ચૂકવવાનું આવ્યું ત્યારે રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 6000 જેટલા લોકોને સહાય ચૂકવી દેવામાં આવી છે અને જ્યારે હજુ પણ 2000 જેટલા લોકોને સહાય ચૂકવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
સરકારી આંકડા કરતા વધુ કેસમાં સહાય ચૂકવાઇ
કોર્ટની સૂચના પછી તમામ જિલ્લા કલેક્ટર મામલતદારોને એવો આદેશ કરી દેવામાં આવ્યો છે કે અરજી મળ્યાના 15 દિવસમાં તેનો નિકાલ કરી લેવાનો રહેશે. કુલ 727 સત્તાવાર મૃત્યુઆંક સામે માત્ર રાજકોટ શહેરની જ વાત કરીએ તો દક્ષિણ ઝોનમાં 1200 પશ્ચિમ ઝોનમાં 1400 પૂર્વ ઝોનમાં 800 અને રાજકોટ તાલુકામાં 500 જેટલા પરિવારોને આ સહાય ચુકવવામાં આવી છે.
રાજકોટમાં સહાય માટે 8 હજાર અરજીઓ આવી
જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 6000 લોકોને સહાય ચુકવાઈ છે, જેમાં હજું પણ બે હજાર લોકોની અરજીઓ પેન્ડિંગ પડી છે. સરકારી આંકડા કરતા વધુ કેસમાં સહાય ચુકવાઈ હોવાનું ખુલતા મોટા ભ્રષ્ટાચાર મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા કોરોનાના મૃતકોને 33 કરોડ ચૂકવી દેવાયા છે. જ્યારે કોરોનામાં મૃતકોની સંખ્યા સરકારી ચોપડે 727 મોત થયા હોવાનું દર્શાવાયું હતું
રાજકોટમાં કોરોનાથી મૃત્યુનો ચોંકાવનારો આંક
કોર્ટે કોરોના સહાય ચૂકવવાના મામલે આપેલા નિર્દેશને કારણે મોટી સંખ્યામાં લોકોને તેનો લાભ મળી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાંથી કુલ 8 હજાર લોકોએ સહાય માટે માગણી કરી હતી તે પૈકી 6 હજાર લોકોને 30 કરોડ જેટલી રકમની સહાય ચૂકવી દેવામાં આવી છે જોકે હજુ 1500 લોકોને સહાય ચૂકવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.