સરકારે આ નિર્ણય આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા માટે પ્રોટોકૉલ હેઠળ લીધો છે. જણાવી દઇએ કે દેશમાં કોરોના વાયરસ મહામારીના કારણે 3 મે સુધી લૉકડાઉન જારી છે. એવામાં જરૂરી વસ્તુઓ/સેવાઓને અતિરિક્ત તમામ ઉદ્યોગ કાર્યાલય બંધ છે.
લૉકડાઉન બાદ કાર્યલયોમાં કોરોનાનો મામલો આવશે તો નહીં થાય સીલ
કાર્યાલયની ઇમારતને સેનિટાઇઝ કર્યાના 12 કલાક બાદ ફરીથી ખોલી શકાશે
કેન્દ્ર સરકારે લૉકડાઉ બાદની તૈયારીઓને લઇને કહ્યું છે કે લૉકડાઉનની અવધિ સમાપ્ત થયા બાદ ફરીથી ખુલતા કાર્યલયોમાં જો કોરોના વાયરસ સંક્રમણના મામલા સામે આવ્યા છે તો ઑફિસને પૂરી રીતે સીલ કરવામાં આવશે નહીં, સરકારે કહ્યું છે કે કાર્યાલયની ઇમારતને સેનિટાઇઝ કર્યાના 12 કલાક બાદ ફરીથી ખોલવામાં આવી શકે છે.
જાણકારી પ્રમાણે સરકારે નિર્ણય કર્યો છે કે કોઇ કાર્યાલયમાં કોરોના વાયરસ સંક્રમણના કોઇ કેસ સામે આવે છે તો આવી સ્થિતિમાં કાર્યાલયને સીલ કરવામાં આવશે નહીં, પરંતુ સેનિટાઇઝેશન કર્યાના 12 કલાક બાદ કાર્યાલયને ફરીથી ખોલવાની અનુમતિ હશે. જો કે ત્યારબાદ પણ કેસ સામે આવે છે તો સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે ઇણારતને ત્રણ મહિના માટે સીલ કરવા જેવો કોઇ નિર્દેશ આપવામાં આવ્યો નથી. અધિકારીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયમાં ટેકનીક સમિતિએ આ સૂચન આપ્યું.
સોશિયલ ડિસ્ટેન્સિંગનું રાખવું પડશે વિશેષ ધ્યાન
લૉકડાઉન બાદ કાર્યાલય ખુલશે પરંતુ ત્યાં સોશિયલ ડિસ્ટેન્સિંગ અને સાફ-સફાઇનું વિશેષ ધ્યાન રાખવું પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા માનક સંચાલન પ્રક્રિયા અનુસાર, 55 થી 60 વર્ષના કર્મચારીઓ અને ગર્ભવતી મહિલાઓને ઘરથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. એની સાથે જ કંપનીઓને આ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તમામ કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવા માટે પ્રોત્સાહિત કરે.