સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. ફરહાન આઝમીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે રામ મંદિર બનાવવા જશે તો અમે બાબરી મસ્જિદ બનાવવા જઇશું.
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્રની ચેતવણી
ફરાહન આઝમીએ ઉદ્ધવ ઠાકરેને આપી ચેતવણી
તમે અયોધ્યામાં રામ મંદિર બનાવશો, અમે બાબરી મસ્જિદ બનાવીશું
અબુ આઝમીના પુત્ર ફરહાને કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે રામ મંદિર જશે તો અમે પણ અયોધ્યા જઇશું, પરંતુ બાબરી મસ્જિદ બનાવવા માટે.
27 જાન્યુઆરીના રોજ નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ મુંબઇમાં રેલીને સંબોધન કરતા ફરહાન આઝમીએ કહ્યું, જો ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જઇ રહ્યાં છે , હું પણ જઇશ. આપણે બધા જઇશું.
Farhan Azmi, son of Samajwadi Party (SP) Maharashtra leader Abu Azmi: If being the Chief Minister, Uddhav Thackeray says he is going to Ayodhya on 7th March, I will also go with him. He will build lord Ram's Temple & we will build Babri Masjid. (27.01.20) pic.twitter.com/InTAJ37cOy
હું મહા વિકાસ અઘાડી નેતાઓને પણ આમંત્રણ આપીશ. મારા પિતા પણ જશે. ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર બનાવવા માટે જશે, તો આપણે બાબરી મસ્જિદ બનાવવા માટે જઇશું. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નારાજ છીએ.
ફરહાન આઝમીએ કહ્યું કે સરકારના 100 દિવસ પુરા થવા પર ઉદ્ધવ ઠાકરેનું અયોધ્યા જવાનું પગલું મુસલમાનોને ડરાવા માટે છે, પરંતુ હું તમને જણાવું છું કે દુનિયા ભરમાં અમારી જનસંખ્યા 2.5 અરબ છે. 50થી વધારે મુસ્લિમ દેશ છે, જે ખુશીથી અમને અપનાવી લેશે, પરંતુ અમે જઇશું નહીં.