Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થઈ ગયા છે. આ મૃતદેહોની ઓળખ નથી થઈ રહી. તો ઘણા મૃતદેહ એવા છે જેના એક કરતા વધારે દાવેદાર સામે આવ્યા છે. એવામાં મૃતદેહને તેમના વાસ્તવિક પરિવાર સુધી પહોંચાડવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવામાં આવી રહ્યો છે.
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત
100 જેટલા મૃતદેહની નથી થઈ ઓળખ
પરિવાર સુધી પહોંચાડવા કરવામાં આવ્યો DNA ટેસ્ટ
ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોના દુર્ઘટનાગ્રસ્ત હોવાના કારણે 275 પીડિતોમાંથી લગભગ 100ની ઓળખ નથી થઈ શકી. તેમના પરિવારોનું દુઃખ વધારે વધી ગયુ છે. પરિજનો પોતાના ગુમ થયેલા પરિજનોની તપાસમાં હોસ્પિટલના મૃતદેહ ઘરના ધક્કા ખાઈ રહ્યા છે. એવા કેટલાય મૃતદેહ છે જેમની ઓળખ હજુ સુધી નથી કરવામાં આવી. અમુક શરીરના ટુકડા એવા છે જેના પર ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકાર એ નક્કી નથી કરી શકતી કે મૃતદેહ કોને સોંપવામાં આવે? બિહારના ભાગલપુરના બે અલગ અલગ પરિવારોએ એક જ મૃતદેહ પર દાવો કર્યો છે. મૃતદેહના કુચ્ચા ઉડી જવાના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ છે.
DNA ટેસ્ટ દ્વારા કરાશે નિર્ણય
હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે દાવેદારોનો DNA સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ હોસ્પિટલમાં પરિવારના બ્લડ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે કોઈ ડીએનએ મેચ થશે તેના બાદ પરિવારને મૃતદેહ આપવા માટે બોલાવવામાં આવશે.
બાલાસોર ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં બચાવ અભિયાન પુરૂ થઈ ચુક્યું છે. ઘાયલ યાત્રીઓને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાવવામાં આવ્યા છે અને ઘણા લોકોને રજા પણ આપવામાં આવી છે. પરંતુ ઓડિશા સરકારની સામે મોટો પડકાર મૃતદેહોના ઓળખનો છે.
170 મૃતદેહ સોંપવામાં આવ્યા
ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ કુમાર જેનાએ કહ્યું કે 170 મૃતદેહ બાલાસોર અને ભુવનેશ્વરથી સોંપવામાં આવ્યા. ઘણા લોકો સવારથી મોડી રાત સુધી રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેમને મૃતદેહ ન મળી શક્યા. એમ્સ ભુવનેશ્વરના મુર્દાઘરમાં મૃતદેહોને રાખવામાં આવ્યા છે.
ભુવનેશ્વર નગર નિગમ આયુક્ત વિજય અમૃતા કુલંગેએ કહ્યું અમે અમુક મૃતદેહોની ઓળખ કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે કારણ કે મૃતદેહની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ચહેરા સરખી રીતે દેખાઈ નથી રહ્યા.