બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Odisha Train Accident: 275 people lost their lives in Odisha Train Accident, not 288, know how this mistake happened

આંકડામાં ભૂલ / ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 288 નહીં 275 લોકોનો ગુમાવ્યો જીવ, એક ભૂલને કારણે થયો મોટો ગોટાળો

Last Updated: 08:07 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના બાલાસોરમાં દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોનો આંકડો ફરી એકવાર સુધારવામાં આવ્યો છે. જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સુધારીને 275 કરવામાં આવી છે. મુખ્ય સચિવે કહ્યું કે 275 મૃતદેહોમાંથી 88ની ઓળખ થઈ ગઈ છે.

  • ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ભયંકર ટ્રેન અકસ્માત થયો
  • અકસ્માતમાં થયેલા મોતની સંખ્યા ફરી અપડેટ કરવામાં આવી 
  • જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સુધારીને 275 કરવામાં આવી 

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ફરી એકવાર અપડેટ કરવામાં આવી છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ રવિવારના રોજ માહિતી આપી હતી કે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 288 નહીં, પરંતુ 275 છે. રાજ્યના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે ડીએમ દ્વારા જાનહાનિનો આંકડો તપાસવામાં આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે કેટલાક મૃતદેહોની ગણતરી બે વખત કરવામાં આવી હતી. તેથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સુધારીને 275 કરવામાં આવી છે.

ઓડિશામાં મોટી ટ્રેન દુર્ઘટના: માલગાડી સાથે ટક્કરમાં પાટા પરથી નીચે ઉતરી ગઈ  કોરોમન્ડલ એક્સપ્રેસ | Major train accident in Odisha: Coromandel Express  collides with freight ...

793 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

મુખ્ય સચિવે કહ્યું કે 275 મૃતદેહોમાંથી 88ની ઓળખ થઈ ગઈ છે. 700થી વધુ ઘાયલોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી શબઘરમાં રાખવામાં આવેલા તમામ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ પણ કરી રહી છે. તેમણે કહ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 1,175 લોકોમાંથી 793 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Topic | VTV Gujarati

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતનું કારણ જણાવ્યું

આ પહેલા રવિવારે જ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતનું કારણ સમજાવ્યું હતું અને બુધવાર સુધીમાં અકસ્માત વિસ્તારમાં સેવા પુનઃસ્થાપિત થવાની આશા વ્યક્ત કરી હતી. રેલ્વે મંત્રીએ કહ્યું કે દુર્ઘટનાનું કારણ રેલ્વે સિગ્નલ માટે જરૂરી 'પોઈન્ટ મશીન' અને 'ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ' સિસ્ટમ સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે 'ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ'માં ફેરફારની ઓળખ કરવામાં આવી છે, જેના કારણે આ અકસ્માત થયો છે.

Topic | VTV Gujarati

3 ટ્રેન વચ્ચે થયો હતો અકસ્માત

તમને જણાવી દઈએ કે શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બહંગા બજાર રેલ્વે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ મેઈન લાઈનની જગ્યાએ લૂપ લાઈનમાં ગઈ હતી જેના કારણે તે ત્યાં ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. તે જ સમયે બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ આ અકસ્માતની ઝપેટમાં આવી હતી. આ અકસ્માતમાં એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mistake OdishaTrainAccident lostlives odisha trainaccident Odisha Train Accident
Pravin Joshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ