તોફાન, ચક્રવાત કહો કે વાવાઝોડું કંઇપણ, 'ફેની' ઓરિસ્સાના પુરી દરિયાકિનારે ત્રાટકી ચુક્યું છે. અને કોઇપણ સમયે તે તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડામાં હવા 150 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા વધારવામાં આવી ચુકી છે.
તોફાન, ચક્રવાત કહો કે વાવાઝોડું કંઇપણ, 'ફેની' ઓરિસ્સાના પુરી દરિયાકિનારે ત્રાટકી ચુક્યું છે. અને કોઇપણ સમયે તે તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડામાં હવા 150 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા વધારવામાં આવી ચુકી છે. વાવાઝોડુ 'ફેની' કેવી રીતે ઓરિસ્સા તરફ આગળ વધી રહ્યું છે તથા કેવી રીતે હવા ઝડપી બની રહી છે. તેની લાઇવ તસવીર જોવા માટે તથા સમય સાથે તે કેવી રીતે વિકરાળ સ્વરૂપ લઇ રહ્યું છે. એ તમે અહીં જોઇ શકો છો.
પુરીમાં એકનું મોત
ફોની વાવઝોડાને લઇને હાલ 10 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. સીએમ પટનાયકે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. બંગાળીની ખાડીમાંથી ઊઠેલું 'ફોની' પ્રચંડ રૂપથી ઓડિશા કિનારે પહોંચી ગયું છે. ઓડિશામાં હાલ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. ફોની વાવાઝોડાને લઇને આશરે 10 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ફેની તોફાનએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને પુરીના તટ વિસ્તારમાં ટકરાયું છે. જેના પગલે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાના પગલે ઓડિશા તટ પર સમુદ્ર પણ ગાંડોતૂર થયો છે. ફેની તોફાનના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશામાં આજે ફેની વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. જ્યારે ફેની વાવાઝોડાને પગલે ગુજરાતની NDRFની 6 ટીમ 18 બોટ સાથે ઓડિશા જશે. જ્યાં અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરશે.
ઓડિશામાં આવેલા ફેની વાવાઝોડાના કારણે ગુજરાતની આ ટ્રેનો કરાઇ રદ્દ
ઓડિશામાં આવેલા ફેની વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હવે પશ્ચિમ રેલ્વે દ્વારા પુરી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. પુરી એક્સપ્રેસ ટ્રેનને રદ કરવામાં આવતા મુસાફરો રેલ્વે સ્ટેશને અટવાયા હતા. એકાએક ટ્રેન રજ થતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ફેની વાવાઝોડાની દહેશતને લઇ અમદાવાદ રેલવે વિભાગે પણ પુરી-અમદાવાદ અને અમદાવાદ-પુરી રૂટની ટ્રેન રદ્દ કરી છે.
તમને જણાવી દઇએ કે, બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણમાંથી પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો ચક્રવાત ફની શુક્રવારે ઓરિસ્સાના દરિયાકિનારાના ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ગમે ત્યારે ટકરાય તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. જ્યારે ફની વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હવે પશ્ચિમ રેલ્વે દ્વારા પુરી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે.