ઓડિશાના બાલાસોરમાં એક હેરાન કરી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પારંપરિક લગ્નમાં બેન્ડ બાજાની બૂમો, આતશબાજી અને ડાન્સને પગલે 63 મરઘીના મોત થયા છે. મરઘીઓના માલિક રંજીત કુમાર પરિદાએ આ ઘટનાની ફરિયાદ પોલીસ પાસે નોંધાવી છે.
પોલીસે બંનેની ફરિયાદ પર બંને પક્ષોને ચર્ચા માટે બોલાવ્યાં
અવાજના કારણે મરઘીઓ ડરી ગઇ
પરીદાએ આરોપ લગાવ્યો છે કે રવિવારે મધ્ય રાત્રિના થોડા પહેલા કાનફોડૂ અવાજવાળી જાન તેમના પોલ્ટ્રી ફાર્મથી ગઇ. તેમણે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે તેમણે બેન્ડ બાજા વગાડનારા લોકોને અપીલ કરી કે થોડો અવાજ ઓછો કરી દો. કારણકે અવાજ ખૂબ હતો. જેને કારણે મરઘીઓ ડરી ગઇ હતી. પરંતુ તેમણે મરઘીના માલિકની વાત ના સાંભળી અને વરરાજાના મિત્રો તેમની પર બૂમો પાડવા માંડ્યા.
હાર્ટ એટેકના કારણે મરઘીઓના મોત થયા
પ્રાણીઓના એક ડૉકટરે પરીદાએ જણાવ્યું કે તેમની મરઘીઓની મોત હાર્ટ એટેકના કારણે થઇ છે. ત્યારબાદ તેઓ લગ્નના આયોજકો પાસે વળતર માટે પહોંચ્યાં. આયોજકોએ વળતર ચૂકવવાની ના પાડતા મરઘીના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરીદાએ કહ્યું, વધારે શોરબકારને કારણે લગભગ 180 કિલો ચિકન ગુમાવી દીધુ. કારણકે પક્ષીઓને વધુ આઘાત લાગ્યો. નીલાગીરી પોલીસ સ્ટેશનના પ્રભારી દ્રૌપદી દાસે કહ્યું કે તેમણે પરીદા અને તેના પાડોશી બંનેની ફરિયાદ પર ચર્ચા માટે બોલાવ્યાં છે.
આ રીતે વધી શકે છે પશુઓમાં હાર્ટ એટેકનું સંકટ
પશુઓના વ્યવહાર પર એક બુક લખનારા જૂલોજીના પ્રોફેસર સૂર્યકાંત મિશ્રાએ એક વેબ પોર્ટલને જણાવ્યું કે વધુ અવાજથી પક્ષીઓમાં હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. મિશ્રાએ કહ્યું, મરઘીઓ એક સર્કેન્ડિયન લય દ્વારા શાસિત હોય છે, જે દિવસે અને રાત્રે પ્રાકૃતિક પ્રકાશ અને અંધારાના ચક્ર દ્વારા નિયંત્રિત થાય છે. મિશ્રાએ કહ્યું, ઝડપી સંગીતને કારણે અચાનક ઉત્તેજના અથવા તણાવ તેમની જૈવિક ઘડીને અવરોધી કરી શકે છે.