એક મહિનાની બાળકીએ 10 દિવસની અંદર વેન્ટિલેટર પર રહ્યા બાદ કોરોનાને હરાવ્યો છે
એક મહિનાની બાળકીએ કોરોનાને હરાવ્યો
બાળકીએ 10 દિવસની અંદર વેન્ટિલેટર પર રહ્યા બાદ કોરોનાને હરાવ્યો
ડોક્ટર મહાપાત્રાએ કહ્યુ કે આ કોઈ ચમત્કારથી ઓછુ નથી
એક મહિનાની બાળકીએ કોરોનાને હરાવ્યો
કોરોના વાયરસની બીજી લહેરથી સંક્રમણ અને મોતની સંખ્યામાં વધારો થયો છે. આ નકારાત્મકતા વચ્ચે એક આશાના કિરણ સમાન એક સમાચાર સામે આવ્યા છે. ઓડિશાના ભૂવનેશ્વરમાં એક મહિનાની બાળકીએ 10 દિવસની અંદર વેન્ટિલેટર પર રહ્યા બાદ કોરોનાને હરાવ્યો છે. ડોક્ટર્સે આને ચમત્કાર ગણાવ્યો છે.
ડોક્ટર મહાપાત્રાએ કહ્યુ કે આ કોઈ ચમત્કારથી ઓછુ નથી
ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝે શુક્રવારે ડોક્ટર અરિજીત મહાપાત્રાના હવાલાથી જાણકારી આપી કે ભુવનેશ્વરમાં એક દિવસની બાળકીથી કોરોનામાંથી સાજી થઈ છે. આ સમાચાર અનુસાર એક મહિનાની બાળકી જે કોરોનાગ્રસ્ત હતી. તે 10 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી બાદ તે ભુવનેશ્વરના હોસ્પિટલમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ છે. ડોક્ટર મહાપાત્રાએ કહ્યુ કે આ કોઈ ચમત્કારથી ઓછુ નથી.
22 દિવસની બાળકીએ કોરોનાને હરાવ્યો
2 મેના રોજ એક ન્યૂઝ પેપરની રિપોર્ટ મુજબ 8 દિવસની બાળકી સંક્રમિત થઈ હતી. તેણે 15 દિવસ બાદ ગાજિયાબાદની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાને હરાવ્યો હતો. બાળકનો જન્મ 5 એપ્રિલે નહેરુ નગરના યશોદા હોસ્પિટલમાં થયો હતો. 8 દિવસ બાદ બાળકને તેની દાદી પાછી હોસ્પિટલ લઈને પહોંચી. રિપોર્ટ મુજબ બાળકના જેન્ડરનો કોઈ ખુલાસો નથી કરાયો.
ભારતમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં એક દિવસમાં કોરોનાના 3 લાખ 26 હજાર 098 દર્દી મળ્યા . 3 હજાર 890 લોકોના મોત થયા છે. ત્યારે કુલ સંક્રમિતોનો આંકડો 2 કરોડ 43 લાખ 72 હજાર 907 પર પહોંચ્યો છે. અત્યાર સુધી દેશમાં કુલ 2 લાખ 66 હજાર 207 દર્દીના મોત થયા છે. જો કે સારા સમાચાર એ છે કે એક દિવસમાં 3 લાખ 53 હજાર 299 લોકો સાજા થયા છે.