ઓડિશામાં વાહનોની હડતાલથી પરેશાન એક દુલ્હાને લગ્ન કરવા માટે 29 કિમી ચાલતા જવું પડ્યું. વરરાજા અને તેનો પરિવાર આખી રાત પગપાળા ચાલીને દુલ્હનના ગામ પહોંચ્યા. તેમણે જણાવ્યું કે વાહનની હડતાળના કારણે કોઈ સાધન ઉપલબ્ધ ન હતું.
ઓડિશામાંથી સામે આવ્યો અનોખો કિસ્સો
લગ્ન કરવા 29 કિમી ચાલ્યા વરરાજા અને પરિવાર
હડતાળના કારણે ન ઉપલબ્ધ ન હતું વાહન
ઓડિશામાં વાહન ચાલકોની હડતાળના કારણે રાયગઢ જિલ્લામાં એક દુલ્હાએ પોતાના પરિવારની સાથે લગ્નના લગભગ 29 કિમિ ચાલીને વધુના ગામ પહોંચવું પડ્યું. વર પક્ષ હડતાળના કારણે વાહનની વ્યવસ્થા ન કરી શક્યો.
દુલ્હા અને પરિવારના સદસ્ય ગુરૂવારે કલ્યાણસિંહપુર બ્લોકના સુનાખાંડી પંચાયતથી રવાના થયો અને આખી રાત ચાલીને દિબાલાપાડુ પહોંચ્યો જ્યાં શુક્રવારે લગ્ન કરવામાં આવ્યા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
દુલ્હા અને અમુક મહિલાઓ સહિત પરિવારના અન્ય સદસ્યોનો રાત્રે ચાલવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દુલ્હના પરિવારના એક સદસ્યએ જણાવ્યું, "વાહન ચાલકોની હડતાળના કારણે કોઈ ટ્રાન્સપોર્ટનું સાધન ઉપલબ્ધ ન હતું. અમે આખી રાત પગપાળા ચાલીને ગામે પહોંચ્યા. અમારી પાસે કોઈ વિકલ્પ ન હતો."
દુલ્હનના ઘરમાં ફસાયા જાનૈયા
વર અને વધુ શુક્રવારની સવારે પરિણય સૂત્રમાં બંધાયા પરંતુ દુલ્હાનો પરિવાર દુલ્હનના ઘરમાં જ રોકાયો છે વાપસી માટે હડતાળ ખતમ થવાની રાહ જોઈ રહ્યા છે. મહત્વનું છે કે વીમા, પેન્શન અને કલ્યાણ બોર્ડ ગઠિત કરવા સહિત વિવિધ માંગોને લઈને ચાલકોનો એકતા મહાસંઘ બુધવારે અનિશ્ચિતકાળની હડતાળ પર જતો રહ્યો.
હડતાળ પરત લેવાની જાહેરાત
આ વચ્ચે રાજ્ય સરકારની તરફથી ચાલકોની માંગ પર વિચાર કરવાનું આશ્વાસન આપવા બાદ વાણિજ્યિક વાહનોના ચાલકોએ શુક્રવારે પોતાની હડતાળ 90 દિવસ માટે સ્થગિત કરી દીધી છે.
રાજ્યના મુખ્ય સચિવ પી કે જેના અને પોલીસ મહાનિદેશક એસ કે બંસકની હડતાળ પરત લેવાની અપીલના થોડા કલાકો બાદ ચાલકોના એકતા મહાસંઘના કામ પર પરત ફરવાની જાહેરાત કરી.