સુરતઃ ઓડિશા સરકાર દ્વારા ટેક્સટાઇલ ડાયમંડ અને રીઅલ એસ્ટેટ સહિતના વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા 3 લાખ જેટલા ઓડિશાવાસીઓ માટે અમરોલી સ્થિત રજવાડી પાર્ટી પ્લોટમાં ઓડીશા મહોત્સવ યોજવા જઇ રહ્યો છે. જેમાં મુખ્યમહેમાન તરીકે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક હાજરી આપશે.
આ કાર્યક્રમમાં ઓડિશાથી સુરત સ્થળાંતર થયેલા લોકો માટે ઓડિશાવાસીઓ દ્વારા કાર્યરત વિવિધ કલ્યાણ પેકેજની જાહેરાત કરાશે. આ સાથે સુરતમાં વસતાં ઓડિશાવાસીઓ માટે ફ્લાઇટ ટ્રેન કોલજ તથા કોમ્યુનિટી સેન્ટર સ્થાપવાની રૂપાણી સરકારને રજુઆત પણ કરાશે.
ઓડિશા સરકાર દ્વારા દર વર્ષે જ્યાં ઓડિશાવાસીઓ મોટી સંખ્યામાં વસે છે. ત્યાં મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મંત્રીઓ તથા ફિલ્મ સ્ટાર કલ્ચરલ એક્સેચેન્જ પ્રોગામ કરતાં હોય છે. સોમવારે સુરતમાં ઓડિશાના સીએમ સહિત ફિલ્મ અને મ્યુઝીક ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ સહિત મંત્રી મંડળ હાજરી આપશે અને મહોત્સવની ઉજવણી કરશે. તેમજ ઓડિશાવાસીઓનું એસોસિએશન પ્રભારી દ્વારા થનારી રજુઆતો સાંભળી તેમના માટે મુખ્યમંત્રી દ્વારા ક્લ્યાણકારી પેકેજની પણ જાહેરાત થઇ શકે છે.
શું છે ઓડિયાઓની માગ ?
સુરતમાં 1.50 લાખથી વધુ ઓડિશાવાસી કારીગરો રહે છે
કારીગરો માટે રાહત પેકેજ આપવાની CM પટનાયકની માંગ
સુરતમાં ટેક્સટાઇલ ડાયમંડ અને રીઅલ એસ્ટેટના 3 લાખ ઓડિશાવાસીઓ
સુરતમાં રહેતા ઓડિશાવાસીઓ માટે ઓડિશા સરકારનો ઓડીશા મહોત્સવ
સુરત-ગંજામ ટ્રેન અને સુરત-ભુવનેશ્વરની ફ્લાઇટ માટે કરશે માગ
2 ઉડીયા કોલેજ તથા ઉડીયા કોમ્યુનિટી સેન્ટર સ્થાપવાની પણ માગ