બંગાળની ખાડીમાંથી ઊદભવેલું ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. જેને લઈને ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
ઓડિશા પર ફરી એકવાર મોટા ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાયો
18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયા
ચક્રવાતને લઈને PM મોદીએ સમીક્ષા બેઠક યોજી
ઓડિશા પર ફરી એકવાર મોટા ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે.
બંગાળની ખાડીમાંથી ઉછળેલું આ ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. બંગાળની ખાડી અને આંદામાન ઉપરનું લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર આગામી 8 મે સુધીમાં ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ તેની ઝડપ 75 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે.હવામાન વિભાગ આના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ પર પડી શકે છે.
i) Fresh spell of Heat wave conditions likely to commence over Northwest India from 07th May and over central India from 08th May, 2022:
north Madhya Maharashtra on 05th May
Rajasthan during 07th-09th May pic.twitter.com/xfF1h3RqiH
— India Meteorological Department (@Indiametdept) May 5, 2022
18 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે
ચક્રવાતી તોફાનના ખતરાને જોતા ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે.
Chaired a high level meet to review the situation in the wake of the heat wave conditions and take stock of monsoon preparedness in different parts of the country. https://t.co/QrsYW0JVsj
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત અસાનીને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અહીં, ઓડિશા સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
NDRFની ટીમો પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે
દરમિયાન, સાવચેતી તરીકે, ઓડિશાના મલકાનગિરીથી મયુરભંજ સુધીના 18 જિલ્લાના કલેક્ટરને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. NDRFની 17 ટીમો અને ODRAFની 20 ટીમો સાથે ફાયર બ્રિગેડની 175 ટીમોને પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
A cyclonic circulation is likely to form over South Andaman Sea and neighbourhood around 04th May. Under its influence, a Low Pressure Area is likely to form over the same region around 06th May. It is likely become more marked during subsequent 24 hours.
— India Meteorological Department (@Indiametdept) May 3, 2022
IMDએ 3 મેના રોજ જ ચક્રવાતની આગાહી કરી હતી
3 મેના રોજ જ હવામાન વિભાગે માહિતી આપી હતી કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, 6 મેની આસપાસના વિસ્તારમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને આગામી 120 કલાક દરમિયાન મોટું ચક્રવાત થવાની સંભાવના છે. 4 મે માટે માછીમારોને આપેલી ચેતવણીમાં હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ભારે પવનની સંભાવના છે.
2021માં ત્રણ ચક્રવાત આવી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2021માં ભારતમાં ત્રણ ચક્રવાત આવી ચૂક્યા છે. ચક્રવાત જવાદ ડિસેમ્બર 2021માં આવ્યો હતો જ્યારે ચક્રવાત ગુલાબ સપ્ટેમ્બર 2021માં આવ્યો હતો. આ સિવાય ચક્રવાત યાસે મે 2021માં દસ્તક આપી હતી.