ઓરિસ્સાના સીએમ નવીન પટનાયકે જનતાને ભાવુક અપીલ સાથે કહ્યું કે જીવન કિંમતી છે. આપણા વ્યવહારથી ત્રીજી લહેરને રોકી શકાશે. હું તમારો સહયોગ ઈચ્છું છું.
CM પટનાયકની પ્રજાને ભાવુક અપીલ
આપણા વ્યવહારથી ત્રીજી લહેરને રોકી શકાશે
નિયમ નહીં માનો તો લગાવવું પડશે સંપૂર્ણ લૉકડાઉન
કોરોનાની બીજી લહેરમાં રાહત મળતા ઓરિસ્સામાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. તેને લઈને સરકારે નાગરિકોને લોકડાઉનને લઈને ચેતવણી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થશે તો સરકાર સંપૂર્ણ લોકડાઉન લાવી શકે છે. અનેક સ્થાનો પર વધતી ભીડનો તેઓએ ઉલ્લેખ કર્યો છે. રાજ્ય સરકારે 1 ઓગસ્ટથી પાબંધીઓમાં રાહત આપી છે.
CM પટનાયકની પ્રજાને અપીલ
તેઓએ કહ્યું કે ઓરિસ્સાએ આવી સ્થિતિનો સામનો કર્યો નથી જે અન્ય રાજ્યોએ કર્યો છે. વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે કે ત્રીજી લહેર જલ્દી આવી શકે છે. જો લાગશે કે કોરોનાના નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી તો સરકાર પૂર્ણ લોકડાઉન કરવા મજબૂર રહેશે. સીએમએ કહ્યું કે સરકાર સ્થિતિ પર બારીકીથી નજર રાખી રહી છે. વાયરસ હજુ પણ આસપાસ છે અને તેમાં એક અલગ વેરિઅન્ટની રીતે વધારે ગંભીર હુમલો કરવાની પણ ક્ષમતા છે.
Odisha didn't face the situation that many other states faced during 2nd wave of COVID-19. 3rd wave can hit early as scientists have warned. Govt will be forced to declare complete lockdown if it feels that people aren't following COVID protocols properly:CM Naveen Patnaik(04.08) pic.twitter.com/ND353FEewJ
તેઓએ કહ્યું કે ઓરિસ્સાએ જીવન અને આજિવિકાની વચ્ચે સંતુલન બનાવવા માટે અનલોકની પ્રક્રિયા શરૂ કરી છે. તમે ફેસ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સાફ સફાઈનું ધ્યાન રાખશો તો ત્રીજી લહેરની શક્યતાને ઘટાડી શકાય છે. આ સાથે ડોક્ટર્સ અને સ્વાસ્થ્ય કર્મીઓની સેવાઓને કારણે પણ કોરોનાની બીજી લહેરમાં મદદ મળી છે. ખાસ અપીલમાં કહ્યં કે જીવન કિંમતી છે. આપણો વ્યવહાર જ ત્રીજી લહેરને રોકી શકે છે. હું ઓરિસ્સાને સુરક્ષિત રાખવા માટે દરેકનો સહયોગ ઈચ્છુ છું. પોતાના પ્રિયજનોની સુરક્ષાનું ધ્યાન રાખો અને જીવન અને આજીવિકાને સુરક્ષિત રીતે ચલાવો.
ભૂવનેશ્વર દેશનું પહેલું 100 ટકા વેક્સીન વાળું શહેર
એક માહિતિ અનુસાર રાજ્યનું ભૂવનેશ્વર શહેર દેશનું પહેલું એવું શહેર છે જ્યાં કોરોનાના વિરોધમાં 100 ટકા વેક્સીનેશન થયું છે. આ સિવાય એક લાખ પ્રવાસી મજૂરોને પણ વેક્સિનનો પહેલો ડોઝ અપાયો છે. અહીં 100 ટકા વસ્તીનું વેક્સિનેશન થયું છે. ઓરિસ્સામાં કોરોના સંક્રમણના કુલ 9 લાખ 80 હજાર 866 કેસ આવી ચૂક્યા છે. જેમાંથી 6102 દર્દીના મોત થયા છે. રાજ્યમાં 12676 દર્દીની સારવાર ચાલી રહી છે. તો 9 લાખ 62 હજાર 088 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.