ઓડિશાની નવીન પટનાયક સરકારે પોતાના રાજ્યમાં નવવિવાહીત કપલને કંડોમની ગિફ્ટ આપવાનું એલાન કર્યું છે, જે ખૂબ અનોખી જાહેરાત છે.
ઓડિશા સરકારની નવી પહેલ
નવવિવાહીત કપલને ભેટમાં એક કિટ આપશે
આ કિટમાં કંડોમ સહિત પરિવાર નિયોજનની વસ્તુઓ હશે
રાજકીય પાર્ટીઓ અને રાજ્ય સરકારો મોટા ભાગે લોકોને લેપટોપ, ટેબલેટ, સાયકલ, કલર ટીવી અને મોટરસાયકલ આપવાનું વચન આપતી હોય છે.તેનાથી લોકોને લાભ મળે, પણ શું આપે વિચાર્યું છે કે, કોઈ રાજ્ય સરકાર પોતાના નવ વિવાહિત કપલને કંડોમ આપે. સાંભળવામાં થોડુ અજીબ લાગશે, પણ આ સત્ય છે. ઓડિશાની નવીન પટનાયક સરકારે પોતાના રાજ્યમાં નવવિવાહીત કપલને કંડોમની ગિફ્ટ આપવાનું એલાન કર્યું છે, જે ખૂબ અનોખી જાહેરાત છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ યોજનાથી ઓડિશા સરકાર રાજ્યાં લગ્નના બંધને બંધાતા કપલને પરિવાર નિયોજન કિટ ભેટમાં આપશે. આ કિટમાં કંડોમની સાથે સાથે પરિવાર નિયોજન સંબંધિત અન્ય વસ્તુઓ પણ હશે. તેની સીધો અર્થ એવો થાય છે કે, આ અભિયાન અંતર્ગત સરકાર લોકોને પરિવાર નિયોજન અને જનસંખ્યાના વધતા ખતરાનો સંદેશ આપવા જઈ રહી છે.
પરિવાર યોજના માટે જાગૃતિ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજના અંતર્ગત શરૂ કરવામા આવેલી નવી પહેલ યોજનાનો ઉદ્દેશ્ય યુવા કપલને પરિવાર નિયોજનની સ્થાયી અને અસ્થાયી રીતે જાણકારી આપવનું અને તેને અપનાવવા માટે જાગૃતિ વધારી રહી છે. ઓડિશા રાજ્ય સરકારે નવ વિવાહીત કપલને લગ્ન કિટ ગિફ્ટ તરીકે આપવાની યોજના બનાવી છે.
તો વળી રાજ્ય સરકાર દ્વારા આપવામા આવતી આ કિટની વાત કરીએ તો, તેમાં પરિવાર નિયોજનની રીત અને તેનાથી મળતી લાભની જાણકારી, લગ્ન રજીસ્ટ્રેશન ફોર્મ, કંડોમ, ગર્ભ નિરોધક ગોળીઓની એક બુક હશે. આ ઉપરાંત ગિફ્ટમાં અપાતી કિટમાં ગર્ભાવસ્થા માટે ટેસ્ટની કિટ, રૂમ, કાંસકો, નેલ કટર, અરીસો વગેરે સામેલ છે.
પરિવાર નિયોજનના ડાયરેક્ટર ડો. વિજય પાણિગ્રહી યોજના વિશે જણાવતા કહે છે કે, માન્યતા પ્રાપ્ત સામાજિત સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ નવવિવાહીતોને કિટ વહેંચશે અને આ કામ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. આ કામ માટે આશા વર્કરને ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી તેઓ યોગ્ય રીતે લોકોને સમજાવી શકે અને જાગૃતિ ફેલાવી શકે.