17 વર્ષ પછી જ્યારે અંજલિનું અવસાન થયું ત્યારે પરિવાર ધ્રૂસકે ધ્રુસકે રડી પડ્યો. પરિવારના સભ્યોએ તેમને અંતિમ વિદાય આપવા માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
પાલતુ શ્વાનની ધૂમધામથી કાઢી સ્મશાન યાત્રા
અંતિમ વિદાયમાં અનોખા કાર્યક્રમનું આયોજન
17 વર્ષ સાથે રહ્યા બાદ થયું પાલતુ શ્વાનનું મૃત્યું
જો તમે પ્રાણીઓ સાથે મિત્રતા કરો છો તો તેઓ શ્રેષ્ઠ મિત્રો બની જાય છે. કૂતરા અને માણસોએ આ વાત વારંવાર સાબિત કરી છે. કૂતરાની તેના માલિક પ્રત્યેની વફાદારી અને તેના માલિકનો તેના પ્રત્યેનો પ્રેમ કંઈ નવી વાત નથી, પરંતુ કેટલાક કિસ્સાઓ એવા છે જે મિસાલ બની જાય છે.
પાલતુ શ્વાનની કાઢી અંતિમ યાત્રા
આવો જ એક કિસ્સો ઓડિશાના પરાલાખેમુંડીમાંથી સામે આવ્યો છે. જ્યારે અહીં રહેતા એક પરિવારે પોતાના પાલતુ કૂતરાના મોત પર અંતિમ યાત્રા કાઢી ત્યારે દરેકની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
#WATCH | Odisha: A family in Paralakhemundi bid a tearful goodbye to their pet dog, Anjali, & performed its last rites as per traditional rituals yesterday when it died after being with them for 17 yrs. Owner of the dog, Tunnu Gouda also took out a funeral procession for his pet. pic.twitter.com/CQwIW9PFmv
17 વર્ષ સુધી સાથે રહ્યો પાલતુ શ્વાન
મળતી માહિતી મુજબ, પરલાખેમુંડીમાં રહેતા પરિવારે 17 વર્ષ પહેલા 'અંજલિ' નામનો કૂતરો પાળ્યો હતો. આ પરિવાર અને અંજિલ વચ્ચે એવી મિત્રતા વિકસી કે તે પરિવારનો સભ્ય બની ગયો. અંજલિ પણ દરેક નાના-નાના નિર્ણયમાં સામેલ થઈ જતી. દરેક નાની-નાની વાતમાં તેનું ધ્યાન રાખવામાં આવતું હતું.
મોત પર ખૂબ રોયો પરિવાર
17 વર્ષ પછી જ્યારે અંજલિનું અવસાન થયું ત્યારે પરિવાર ધ્રૂસકે ધ્રુસકે રડી પડ્યો. પરિવારના સભ્યોએ તેમને અંતિમ વિદાય આપવા માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા અને અંજલિની અનોખી સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. કૂતરાના માલિક તુન્નુ ગૌડાએ તેના મૃતદેહને પોતાના હાથમાં લઈને સ્મશાનભૂમિમાં લઈ જઈને હિંદુ વિધિ પ્રમાણે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.