નવી દિલ્હીઃ ઓડિશાના સીએમ નવીન પટનાયક સુરતની મુલાકાતે આવ્યા હતા. CM નવીન પટનાયક ઓડિશાવતનીઓની મુલાકાતે આવ્યા હતા. સુરતના અમરોલીમા પાર્ટી પ્લોટમાં 3 લાખ કરતા વધારે ઓડિસાવાસીઓને સંબોધ્યા હતા.
તેમને પોતાના સંબોધનમાં કહ્યું કે ભુવનેશ્વરમાં વર્લ્ડકપ હોકીનું આયોજન સફળતા પૂર્વક કરાયુ હતુ. આજે ગાંધીજીની જન્મભુમિમાં આવ્યાનો આનંદ અનુભવી રહ્યો છું. તેમને ઓડિશા અને ગુજરાતમાં ઘણો વિકાસ થયો હોવાની વાત લોકો સમક્ષ મુકી હતી.
Gujarat: At Odisha Mahotsav in Surat CM Naveen Patnaik announces financial aid of 10 crore rupees for establishment of Odiya cultural centre in Surat. CM also said Odisha govt will request Union Govt to start a direct flight between Surat and Odisha pic.twitter.com/hX7IENOZrs
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઉડીયાના લોકો ખૂબ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. સુરતમાં રહેતા ઓરિસ્સા સમાજના લોકો માટે તેમણે રાહત અને સહાયની વર્ષા કરી હતી. તેમણે ઓરિસ્સાના વિદ્યાર્થીઓ માટે મફત પુસ્તકોની જાહેરાત કરી હતી. સાથે જ ઉચ્ચ અભ્યાસ માટે ઓરિસ્સા ભાષામાં કોલેજ શરૂ કરવાની પણ વાત કરી હતી. સુરતમાં ઓરિસ્સા સાંસ્કૃતિક ભવનની સ્થાપના કરવા માટે રૂ.10 કરોડની જોગવાઈની જાહેરાત પણ તેમણે કરી હતી.
આ સિવાય પુરુષો માટે 5 લાખ અને મહિલાઓ માટે 7 લાખ સુધીની આરોગ્યલક્ષી સેવાનું પણ તેમણે વચન આપ્યું હતું.
આ ઉપરાંત તેમને જાહેરાત કરી હતી કે સુરતમાં ઉડિયા કોલેજ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તેમને રૂપાણી સરકાર પાસે સુરતથી ભુવનુશ્વર સુધી ટ્રેન અને ફ્લાઈટની માગણી કરી છે. જેના કારણે લોકોને અવર-જવર કરવામાં સરળતા રહે. આ ઉપરાંત ઓડિશા વાસીઓને બીપીએલ અને અંત્યોદય કાર્ડના લાભાર્થીઓને લાભ મળશે તેવી જાહેરાત કરી હતી.