ઓડિશાના કેન્દ્રપાડામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ શૌચાલયમાં સાત દિવસ રોકાયો હતો. હકિકતમાં આ વ્યક્તિ તમિલનાડુથી પરત આવ્યો હતો. જેના કારણે તેને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેવા મોકલવામાં આવ્યો હતો. આ વ્યક્તિ જગતસિંગપુર જિલ્લાના સંસ્થાકીય ક્વોરેન્ટાઈન સેન્ટરમાં હતો. ત્યાં થયું એવું કે તેને શૌચાલયમાં રોકાવું પડ્યું.
28 વર્ષીય વ્યક્તિ પાસે ક્વોરેન્ટાઈન માટે પૂરતી જગ્યા નહોતી
7 દિવસ રાખી રજા આપવામાં આવી હતી
9 જૂનથી 15 જૂન સુધી શૌચાલયમાં સાત દિવસ વિતાવ્યા હતા
આ કિસ્સામાં એક અધિકારીએ જણાવ્યું હતું કે 28 વર્ષીય વ્યક્તિ પાસે ક્વોરેન્ટાઈન માટે પૂરતી જગ્યા નહોતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ક્વોરેન્ટાઇન સેન્ટરનો સમયગાળો વધારવાની ના પાડી હોવાને કારણે જેને સરકાર દ્વારા સંચાલિત અસ્થાયી તબીબી શિબિરમાં 7 દિવસ રાખી રજા આપવામાં આવી હતી.
તબીબી શિબિરમાં સાત દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહીને વ્યક્તિને એક અઠવાડિયા માટે અલગ રહેવા માટે કહેવામાં આવ્યું હતુ. એક અધિકારીએ જણાવ્યું કે, આ વ્યક્તિએ કહ્યું હતું કે જમુગાંવ ગામમાં તેના મકાનમાં ક્વોરેન્ટાઇન માટે પૂરતી જગ્યા નથી. ત્યારબાદ તેણે સંસ્થાગત ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રોકાણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. પરંતુ તેને આ માટે પરવાનગી મળી ન હતી.
જ્યારે તેને સંસ્થાકીય ક્વોરેન્ટાઇન સેન્ટરમાં બીજો વિકલ્પ મળ્યો ન હતો, ત્યારે તે વ્યક્તિએ તેના ઘરની નજીક બનાવવામાં આવેલા સ્વચ્છ ભારત ટોઇલેટમાં આશરો લીધો હતો. આ બાબતે તે યુવકે કહ્યું હતું કે, 'મેં સ્થાનિક અધિકારીઓને વિનંતી કરી હતી કે હું ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મારો રોકાણ સમય લંબાવી શકું.' પરંતુ તેણે મારી વિનંતીને સ્વીકારવાની ના પાડી, મારા કુટુંબના સભ્યોને બચાવવા માટે મને શૌચાલયમાં રોકાવાની ફરજ પડી. "
આ વ્યક્તિએ 9 જૂનથી 15 જૂન સુધી શૌચાલયમાં સાત દિવસ વિતાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ શૌચાલય જેમાં આ વ્યક્તિએ આશરો લીધો હતો તે તાજેતરમાં બનાવવામાં આવ્યું છે. યુવકના પરિવારના સભ્યોએ હજી સુધીમાં 6 બાય8 ફૂટના નવા શૌચાલયનો ઉપયોગ કર્યો નથી. ત્યારે નૌગાંવના બ્લોક વિકાસ અધિકારી રશ્મિ રેખા મલિકે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.