વર્લ્ડકપ જીતવો ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી માટે જૂનુન છે અને તેમનુ કહેવુ છે કે, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વિરુદ્ઘ આગામી 6 વનડે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં થનારી T20 વર્લ્ડ કપની તૈયારી બરાબર હશે.રવિ શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં વર્લ્ડકપની તૈયારી, ટીમનો માહોલ અને ખેલાડીઓની ઇજા વિશે વાત કરી.
મહેબૂબા મુફ્તી
ટીમ ઇન્ડિયાના ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યુ હતુ કે, ટૉસની વાત નહી કરીએ. અમે દુનિયાના દરેક દેશમાં દરેક સ્થિતિમાં અને દરેક ટીમની સામે સારું ફોર્મ કરીશું. આ અમારી ટીમનો ટાર્ગેટ છે. વર્લ્ડકપ જીતવો જૂનુન છે અને અમે તે પૂરુ કરવા કંઇ પણ કરીશું.
ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર 5 T-20 , 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે. સાઉથ આફ્રિકા વિરુદ્ઘ વનડે સીરિઝ માર્ચમાં રમાશે. શાસ્ત્રીએ કહ્યુ કે, ''ટીમની ખાસિયત છે કે તમામ લોકો એકબીજાની સફળતાની મજા લે છે.''
ટીમ ઇન્ડિયાના 57 વર્ષના કોચે કહ્યુ કે, ''આ ટીમમાં હું શબ્દ નહી પરંતુ અમે થી વાત કરવામાં આવે છે. અમે એકબીજાના સફળતાની ઉજવણી કરીએ છીએ, જીત ટીમની હોય છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ વનડે સીરિઝમાં 2-1 થી મળેલી જીત ટીમ ઇન્ડિયાની માનસિક તાકાત બતાવે છે, જે પહેલી મેચ ખરાબ રીતે હાર્યા પછીની છે.''
રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ''ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘની સીરિઝ અમારી માનસિક તાકાત અને દબાણમાં રમવાની ક્ષમતાની સાબિતી છે. વાનખેડેમાં હાર્યા પછી અમે શાનદાર રીતે વાપસી કરી, આનાથી અમારી બહાદુરીની ખબર પડે છે અને સાબિત થાય છે.''
રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ''આ ટીમ વર્તમાનમાં જીતી છે, જે થયું એ ભૂતકાળ હતુ, તે ઇતિહાસ છે. અમે આજ લયમાં ભવિષ્યને લઇને કાયમ રાખવા ઇચ્છીએ છીએ.''
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ટીમ ઇન્ડિયાની વનડે અને T-૨૦ મેચ માટેની જાહેરાત કરવામાં આવી હતી. જોકે બોર્ડ તરફથી ટેસ્ટ ટીમની કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
NEWS: India’s ODI squad against New Zealand announced: Kohli (C), R. Sharma (VC), P. Shaw, Rahul, Shreyas, M. Pandey, Pant (WK), S. Dube, Kuldeep, Chahal, Jadeja, Bumrah, Shami, Saini, S. Thakur, Kedar