જાણીતા ઉડિયા અભિનેતા અને જાત્રા કલાકાર રાયમોહન પરિદા શુક્રવારે ભુવનેશ્વરના પ્રાચી વિહારમાં તેમના ઘરે ગળોફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
જાણીતા અભિનેતાએ કર્યો આપઘાત
ઘરની અંદર ખાધો ગળોફાંસો
જાણો શું છે સમગ્ર મામલો
જાણીતા ઉડિયા અભિનેતા અને જાત્રા કલાકાર રાયમોહન પરિદા શુક્રવારે ભુવનેશ્વરના પ્રાચી વિહારમાં તેમના ઘરે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. અભિનેતાની ઉંમર 58 વર્ષની હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર પરિદાએ આત્મહત્યા કરી છે.
આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નહીં
જોકે, અભિનેતાની આત્મહત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સમાચાર મળતાં જ મંચેશ્વર પોલીસના અધિકારીઓ અભિનેતાના ઘરે પહોંચ્યા અને મૃતદેહને બહાર કાઢ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજધાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
ઓડિયા ફિલ્મ ઉદ્યોગ આઘાતમાં
રાયમોહનના આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર ઓડિયા ફિલ્મ ઉદ્યોગ આઘાતમાં છે. આઘાતજનક સમાચાર મળ્યા બાદ સેંકડો ઓડિયા કલાકારો, સહ-અભિનેતાઓ અને ફેન્સ તેમના ઘરે એકઠા થયા હતા.
ઓડિયા ફિલ્મ ડિરેક્ટર ચંડી પારિજાએ કહ્યું, 'હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે રાયમોહન જેવો વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે અને તે શા માટે આત્મહત્યા કરશે? તેનું પોતાનું ઘર હતું, એક પુત્રીના લગ્ન કર્યા હતા અને તે આર્થિક રીતે મજબૂત માણસ હતા. મને એવું કોઈ કારણ નથી લાગતું જેના લીધે તેણે આટલું મોટું પગલું ભરવાની ફરજ પાડી હોય.
સિદ્ધાંત મહાપાત્રાએ શોક વ્યક્ત કર્યો
રાયમોહનના અવસાન પર શોક વ્યક્ત કરતા જાણીતા અભિનેતા સિદ્ધાંત મહાપાત્રાએ કહ્યું, 'જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા હોય એવા અભિનેતા આવુ પગલું ભરે તે માનવું મુશ્કેલ છે. અમારી છેલ્લે જ્યારે વાતચીત થઈ ત્યારે રાયમોહન હતાશ ન હતા.'
ઉસસી મિશ્રાએ કહી આ વાત
અભિનેત્રી ઉસ્સી મિશ્રાએ કહ્યું, “અમે ઓડિયા ફિલ્મ કલાકાતો માનસિક રીતે એટલા મજબૂત છીએ કારણ કે ઉદ્યોગમાં શરૂઆતીર સમય વખતે અમને ઘણા અનુભવો થયા છે અને જીવિત રહેવા માટે અમે ઘણા સંઘર્ષ કર્યા છે. જોકે રાયમોહન ભાઈ એક સ્થાપિત કલાકાર અને એક મજબૂત વ્યક્તિત્વ વાળા મનુષ્ય હતા તેમણે આવું કેમ કર્યું હું એ સમજી નથી શકી."