ઓડ ઇવન લાગૂ થવામાં હવે ખુબજ ઓછો સમય બચ્યો છે. એવામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને લઇને કેટલાક મોટા એલાન કર્યા છે. આ વખતે પણ મહિલાઓને ઓડ ઇવનમાં છૂટ (શરતોની સાથે) આપવામાં આવશે. પરંતુ CNG વાહનોને આ વખતે છૂટ આપવામાં આવશે નહીં.
ઓડ ઇવન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કર્યા
આ વખતે પણ મહિલાઓને ઓડ ઇવનમાં છૂટ મળશે
દિલ્હીમાં આ વખતે 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઓડ ઇવન લાગૂ રહેશે
ટૂ વ્હીલર પર આ સ્કીમ લાગૂ થશે કે નહીં તેના પર હાલ કોઇ નિર્ણય લેવાયો નથી. મુખ્યમંત્રી કેજરીવાલે ફાઇન સાથે જોડાયેલ કોઇ એલાન કર્યું નથી.
મહિલાઓને શરતી છૂટ
ઓડ ઇવનમાં મહિલાઓને છૂટ મળશે. આ કઇ શરત પર હશે તે કેજરીવાલે બતાવ્યું. જે ગાડીને એકલી મહિલાઓ ચલાવી રહી હશે તેને છૂટ મળશે. આ ઉપરાંત જો ગાડીમાં તમામ સવાર મહિલાઓ હશે અથવા મહિલાઓની સાથે 12 વર્ષ સુધીનો બાળક હશે તો તેને છૂટ મળશે.
પ્રાઇવેટ CNG વાહનોને છૂટ મળશે નહીં
આ વખતે પ્રાઇવેટ CNG વાહનોને છૂટ મળશે નહીં. પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમકે બસ, ટેક્સી, ઓટો પર આ લાગૂ નહીં થાય. કેજરીવાલ બોલ્યા કે પ્રાઇવેટ CNG કારોને ગત બે ઓટ
ઇવનમાં છૂટ આપવામાં આવી હતી. પરંતુ જે સ્ટીકર આપવામાં આવ્યા હતા તેનો ઘણો દૂરપયોગ થયો હતો.
ઓડ ઇવન ટૂ-વ્હીલર પર લાગૂ કરવા માંગ
પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જણાવ્યું કે સરકાર ટૂ વ્હીલર પર ઓડ ઇવન લાગૂ કરવા માંગે છે. પરંતુ હાલ એવું કરવુ શક્ય નથી. સરકાર તેના પર ચર્ચા કરી રહી છે. કેજરીવાલે કહ્યું કે ટૂ-વ્હીલર એટલી મોટી સંખ્યામાં છે કે તેના પર લાગૂ કરવામાં આવ્યું તો પબ્લિક ટ્રાન્સપોર્ટ તેનો ભાર નહીં ઝેલી શકે.
ફાઇન પર નિર્ણય નહીં
રાજધાની દિલ્હીમાં આ વખતે 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઓડ ઇવન લાગૂ રહેશે. નોંધનીય છે કે જાન્યુઆરી અને એપ્રિલ 2016માં દંડ માત્ર 2 હજાર રૂપિયા જેટલો હતો. આ વખતે કેટલો હશે તેના પર નિર્ણય નથી લેવામાં આવ્યો. પરંતુ તે 20 હજાર રૂપિયા સુધી હોઇ શકે છે.
સી- 40 જલવાયુ સમ્મેલનમાં ઓડ ઇવનની વાત
નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ડેનમાર્કના કોપનહેગનમાં યોજાયેલી સી-40 જલવાયુ સમ્મેલનમાં પણ ઓડ ઇવનનો ઉલ્લેખ કર્યો. સમ્મેલનમાં કેજરીવાલે પ્રદુષ્ણ પર વાત કરતા કહ્યું કે, પ્રદુષણ ઓછુ કરવા માટે અમે ઓડ ઇવન યોજના લાગૂ કરી.
એમણે કહ્યું કે, અમે ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવ્યા. થર્મલ પાવર સ્ટેશન બંધ કર્યા અને ઇન્ડસ્ટ્રીઝને પર્યાવરણ ફ્રેન્ડલી ફ્યૂલમાં બદલ્યું અને તેના માટે સબસિડી આપી. 5 વર્ષમાં દિલ્હીના લોકોનો જબરદસ્ત સમર્થન મળ્યો તેથી આ શક્ય બની શક્યું. સી-40 ડિક્લેરેશન એટલા માટે સાઇનઇન કરી શક્યો છું કેમકે (દિલ્હીના) 2 કરોડ લોકો મારી તાકાત છે.