છેલ્લા ઘણા સમયથી પત્ની સાથેના વિવાદોથી ચર્ચામાં છે ભરતસિંહ
આજકાલ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના ઘરેલું વિવાદને લઈ મીડિયામાં નવી માહિતી સામે આવી રહી છે. પરંતુ હવે ભરતસિંહ સોલંકી દ્વારા કરાવવામાં આવેલા મહાગ્રહ યજ્ઞની વાત છે. આણંદ ખાતે પોતાના નિવાસસ્થાને ભરતસિંહ સોલંકી દ્વારા યજ્ઞ કરાવવામાં આવ્યો છે. પત્ની સાથે સંપત્તિ સહિતના વિવાદ વચ્ચે ગ્રહોની વિધિને લઈ યજ્ઞ કરાવવામાં આવ્યો છે. યજ્ઞમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા. ત્યારે શંકરસિંહને કોંગ્રેસમાં પરત લાવવા ભરતસિંહ પ્રયાસમાં લાગ્યાની ચર્ચા પણ હવે તેજ બની છે. મહાગ્રહ યજ્ઞ રાજકીય ભવિષ્યને ધ્યાને લઈ કરવામાં આવ્યો હોવાનું નિવેદન પણ આપવામાં આવ્યો છે.
જાણો શું છે ભરતસિંહનો પારિવારીક વિવાદ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો વિવાદ જગ જાહેર બની ચૂક્યો છે.. ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે વધુ એક જાહેર નોટીસ પાઠવી છે. આ નોટીસમાં તેમણે ભરતસિંહ સોલંકીની મિલકતમાં પોતાનો ભાગ હોવાનું જણાવ્યું છે .અને પોતાના ભાગ હોવાથી કોઈએ મિલકત ન ખરીદવાની અપીલ કરી છે.
ભરતસિંહના પત્નીની વધુ એક જાહેર નોટીસ
એટલું જ નહીં ભરતસિંહ સોલંકીએ મનીષા અને અન્યના ખાતામાં 3 લાખ ડોલર જણા કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. જાહેર નોટીસમાં ઉલ્લાખ કરાયો છે કે ભરત સોલંકીએ તેમને ઘરમાંથી કાઢી મુકતા તેઓ અમેરિકા જતાં રહ્યા છે. તમામ લોકો નાણા પરત કરે તેવી અપીલ પણ જાહેર નોટીસમાં કરવામાં આવી છે.
મિલકતમાં પોતાનો ભાગ હોવાની નોટીસ
મહત્વનું છે કે રેશ્માબન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરતું સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પટેલે આક્ષેપ લગાવ્યો હતો.
કોઈએ મિલકત ન ખરીદવાની કરી અપીલ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મુકી છે અને મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે. ભરતસિંહ સોલંકીના પત્નીએ મિલકતમાં ભાગ હોવાની જાહેર નોટીસ મોકલતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ ફરી ચર્ચાનો વિષય બન્યો છે.