કોરોના વાયરસના કારણે અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 6 લાખ લોકોના મોત થયા છે. આમ તો આ બિમારી કોઈને પણ પોતાનો શિકાર બનાવી શકે છે. પરંતુ આ ખાસ કરીને મોટા લોકો માટે જીવલેણ છે. આ દાવો નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા હાલના રિસર્ચમાં કરવામાં આવ્યો છે.
મેદસ્વિતાથી કોરોના કનેક્શન
મેદસ્વિતાથી પીડિત લોકો માટે કોરોના વાયરસ સૌથી વધુ ઘાતક
કોરોનાના કારણે અત્યાર સુધી વિશ્વમાં લગભગ 6 લાખ લોકોના મોત
આ રિસર્ચને બ્રિટનની યુનિવર્સિટી ઑફ લીસેસ્ટરના વૈજ્ઞાનિકોએ કર્યો છે. જેમાં અંદાજે 1 કરોડ 26 લાખ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે દક્ષિણ એશિયામાં રહેલા મેદસ્વિતાથી પીડિત લોકો માટે કોરોના વાયરસ સૌથી વધુ ઘાતક છે.
આ રીતે થયુ રિસર્ચ
મેદસ્વિતા અને કોરોનાથી મોતના કનેક્શનને સમજવા માટે આ અત્યાર સુધીનું સૌથી મોટું રિસર્ચ છે.
આ રિસર્ચ બ્રિટનમાં કોરોનાની સામે વેક્સિનેશન પહેલા શરુ થયુ હતુ. દેશમાં વેક્સિન ડિસેમ્બર 2020થી મળવાની શરૂ થઇ હતી અને આ સંશોધન જાન્યુઆરી 2020માં ચાલુ થયુ હતુ.
અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ 1 કરોડ 26 લાખ લોકોના હેલ્થ રેકોર્ડ, રાષ્ટ્રીય ગણતરી અને મૃત્યુ દર જેવા ડેટાની તપાસ કરી.
રિસર્ચમાં ઘણા એથનિસિટીના લોકોને સામેલ કરવામાં આવ્યાં. સંશોધનકર્તાઓએ 30,067 વ્હાઈટ, 1208 બ્લેક, 1831 દક્ષિણ એશિયન અને 845 બીજી એથનિસિટીના લોકોના મૃત્યુનો ડેટા એનિલાઈઝ કર્યો.