કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી(SECC) 2011માં અન્ય પછાત વર્ગ(OBC)ને ડેટા નથી. આ સત્તાવાર નથી કરાયું, કારણ કે તેમાં ખામી મળી આવી હતી અને જેને લઇને ગુમરાહ થવાનો ખતરો હતો.
સમગ્ર રીતે OBC માટે અનામતનું સમર્થન
સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર સરકારની તે અરજી પર સુનાવણી કરી રહી હતી
SECC 2011 ઓબીસી ડેટા નથી
કેન્દ્ર સરકારે કહ્યું, તેઓ સમગ્ર રીતે OBC માટે અનામતનું સમર્થન કરે છે પરંતુ આ અભ્યાસ બંધારણ પીઠના નિર્ણયને અનુરુપ હોવું જોઈએ. બંધારણ પીઠે રાજ્યની અંદર પછાતપણાની પ્રકૃતિ, કારણ અને તેમના પરિણામની તપાસ કરવા માટે એક સમર્પિત આયોગની સ્થાપના સહિત 3 શરતો અંગે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર સરકારની તે અરજી પર સુનાવણી કરી રહી હતી તેમાં કેન્દ્ર અને અન્ય ઓથૉરિટીને રાજ્યોના અન્ય પછાતવર્ગથી સંબંધિત SECC 2011 આંકડાઓનો ખુલાસો કરવાના આદેશ આપવાની માંગ કરી હતી, જે વારંવાર માંગ છતા તેમણે ઉપલબ્ધ નથી કરાવવામાં આવ્યું.
કેન્દ્ર તરફથી રજૂ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સીટી રવિકુમારની પીઠને કહ્યું કે, ન માત્ર અનામત માટે પરંતુ રોજગાર, શિક્ષા અને અન્ય માટે પણ SECC 2011 પર કોઈ ભરોસો ન કરી શકાય. મહેતાએ કહ્યું, મેં જણાવ્યું છે કે આ વિશ્વસનીય કેમ નથી. આ એક અલગ ઉદ્દેશ્ય માટે એકત્ર કરવામાં આવ્યા હતા અને જેના કારણ માટે ગણતરી કરવામાં આવી હતી તે ખામીયુક્ત મળી આવી હતી.
SECC 2011 ઓબીસી ડેટા નથી
કેન્દ્રના સપ્ટેમ્બરમાં દાખલ કરાયેલા સોગંદનામાનો હવાલો આપતા મહેતાએ પીઠને કહ્યું કે, મેં આને કોર્ટની સામે બહુ સ્પષ્ટ રીતે રાખ્યો હતો. સૉલિસિટર જનરલે પીઠને જણાવ્યું કે, SECC 2011, ઓબીસી ડેટા નથી. SECCનો મતલબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત થયો છે. તેમણે કહ્યું કે, ઓબીસી સિવાય કોઈ અન્ય પણ હોઈ શકે છે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય. એજ કારણ છે કે આ ડેટા સ્પષ્ટ નથી. આને જાહેર નથી કરાયા કારણ કે આનાથી ગુમરાહ થવાનો ડર હતો.
મહારાષ્ટ્રના વકીલ શેખર નાફડેએ તર્ક આપ્યો કે, રાજ્યએ આ મામલે દાખલ પોતાના જવાબી સોગંદનામામાં કહ્યું છે કે, કેન્દ્રએ સંસદની એક સમિતિને જણાવ્યું હતું કે, 98 ટકા ડેટા સાચા છે. જો એવું છે તો તેઓ કેવી રીતે કહી શકે કે આ વિશ્વસનીય નથી. આના પર મહેતાએ કહ્યું કે, સંસદમાં જવાબ આ વાત પર નિર્ભર કરે છે કે કઇ રીતે સવાલને ઉઠાવવામાં આવ્યો. કેન્દ્રએ ઉચ્ચ કોર્ટ સમક્ષ પોતાના સોગંદનામામાં કહ્યું કે, SECC 2011ના આંકડા કોઈ પણ અનામત માટે વિશ્વસનીય નથી.
પીઠે કહ્યું કે, ઓબીસી માટે અનામત ત્યારે આગળ વધી શકે છે જ્યારે 2010ની બંધારણ પીઠના નિર્ણય અને બાદમાં ત્રણ ન્યાયધીશોની પીઠ દ્વારા આપવામાં આવેલા નિર્ણય અનુસાર ટ્રિપલ ટેસ્ટનું પાલન થાય. કોર્ટ આ મામલે હું હવે બુધવારે સુનાવણી કરશે.