વડોદરાના ચકચારી એવા દુષ્કર્મ કાંડ અને નવસારીની યુવતીની વલસાડમાં ટ્રેનમાં મળેલી લાશના રહસ્યોના પરદા હજુ ઉઠતા નથી. ઓએસીસ સંસ્થાનો વડો સંજીવ શાહ આખરે ક્યાં છે ?
વડોદરા કેસમાં સંજીવ શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો ?
પીડિતાએ છેલ્લો મેસેજ સંજીવને કર્યો હતો
ઓએસીસનો કર્તા-ધર્તા સંજીવ ખુદ રહસ્યમય
વડોદરાના ચકચારી એવા દુષ્કર્મ કાંડ અને નવસારીની યુવતીની વલસાડમાં ટ્રેનમાં મળેલી લાશના રહસ્યોના પરદા હજુ ઉઠતા નથી ત્યાં, ઓએસીસ સંસ્થા પણ વિવાદના વમળમાં ફસાઈ છે. યુવતીએ ઓએસીસનાં વડા સંજીવ શાહને અંતિમ ફોન કરી બચાવી લેવા આજીજી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ત્યારે, સંજીવ શાહને જમીને મારગ આપ્યો કે, આકાશ ઓગાળી ગયું ? સંજીવ શાહ ઘટના બાદ નથી સામે આવ્યો કે નથી આ ઘટના પર તેનું કોઈ નિવેદન આવ્યું. યુવતીની કહાણી જેટલી સંવેદનશીલ છે કદાચ તેથી વધુ ઓએસીસની મથરાવટી મેલી છે. આવા સંજોગોમાં પોલીસ હજુ ઘટનાની તપાસને લઈને હવામાં બાચકા ભરે છે તો સંજીવ શાહ પોતાની સંસ્થાની યુવતી અને લાજ કે શરમ અનુભવ્યા વગર નિર્લજ્જતાથી ઘૂમી રહ્યો છે.
પ્રીતિની પૂછ પરછ, પણ સજીવ ક્યાં ?
નવસારીની સામાજિક ગતિવિધિઓ સાથે જોડાયેલી યુવતીની હત્યા કે આત્મહત્યાનો ભેદ પોલીસ બિલોરી કાચથી તપાસી રહી છે પણ દીવા જેવા સ્પષ્ટ દુષ્કર્મ કેસમાં પણ પોલીસ માંડ 24 માં દિવસે સાયકલ શોધી શકી છે. યુવતી એ ટ્રેનમાં કરેલી 36 સેકન્ડ્સની વાતચિત થયેલા યુવકને પોલીસ ઝડપી લાવવામાં સફળ જરૂર રહી છે પણ છેલ્લા 24 કલાકમાં તેની પાસેથી હજુ સુધી કોઈ નક્કર માહિતી પ્રાપ્ત નથી થઇ.દરમિયાન ઓએસીસનો સંચાલક કહેવાતો સંજીવ શાહ ક્યાં છે ? તેવા સવાલો ઉઠ્યા છે. સ્થાનિક મહિલા સંચાલક પ્રીતિ નાયરની પોલીસે અંદાજે ચાર કલાક જેટલી પૂછ પરછ કરી ચુકી છે. પણ યુવતીએ સંજીવને જે અંતિમ સંદેશ પોતાને બચાવી લેવા માટે કર્યો હતો,તે અંગે પણ સંજીવે કોઈ હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. સવાલ એ છે કે, આખરે સંજીવ શાહ છે ક્યા ? શા માટે હજુ સુધી યુવતી અંગે નિવેદન નથી આપ્યું ? શું સંજીવ ઘટનાક્રમથી વાકેફ છે ? પોલીસના હાથ હજુ સંજીવ સુધી શા માટે નથી પહોચી શક્યા ? વડોદરા પોલીસ અને તપાસ એજન્સી સંજીવ શાહને બચાવતી હોવાનો આરોપ પણ લગાવાઈ રહ્યો છે. સંજીવ શાહ અગાઉ પણ અનેક વિવાદમાં આવી ચૂક્યા છે.