સારસ પક્ષી વિશે એવુ કહેવામાં આવે છે કે જો એક પક્ષી મૃત્યુ પામે તો તરત જ બીજુ ઝૂરી ઝૂરીને મૃત્યુ પામે છે. કહેવામાં આવે છે કે સારસ બેલડી એક બીજાને ખુબ પ્રેમ કરે છે માટે એકનુ મૃત્યુ સહન કરી શકતા નથી એને મૃત્યુ પામે છે. બસ એવો જ પ્રેમ બે ભાઇ વચ્ચે હતો જેમનુ નામ છે મહેશ-નરેશ.
મહેશ-નરેશનો થયો સ્વર્ગવાસ
બંને ભાઇની સારસ જેવી બેલડી
ગરીબી વેઠીને ગરીબો માટે કર્યા કાર્યો
મહેશ-નરેશે ગુજરાતી ફિલ્મોને એક અલગ લેવલ આપ્યું. હિન્દી ફિલ્મો તરફ વળેલા લોકોને ગુજરાતી ફિલ્મો પર ચોંટાડી રાખવાની તેમનામાં એક અલગ જ પ્રકારની કળા હતી. મહેશ ભાઇ મેલ અને ફિમેલ બંને અવાજોમાં ગાઇ શકતા હતા.
ઓ સાથી રે તેરે બીના ભી ક્યા જીના
આ ગીતના શબ્દોથી જ સાર્થક થાય છે કે બે પ્રેમીઓ એક બીજા વગર નહી જીવી શકે તેવા કોલ આપી રહ્યાં છે. જો એક નહી રહે તો બીજો તેના વિરહમાં મૃત્યુ પામશે પરંતુ વાત અહીં તો પ્રેમી પંખીની નહી બે ભાઇઓની છે. મહેશ-નરેશની બેલડીનું પણ કંઇક આવુ જ છે. મહેશ-નરેશે આ ગીત ગાયુ હતુ અને ખરેખર તેઓ એકબીજા વગર જીવી ન શક્યા. મોટા ભાઇના મૃત્યુના 3 દિવસની અંદર જ નરેશ કનોડિયાએ આ દુનિયાને અલવિદા કહી દીધુ.
ગુજરાતી ફિલ્મમાં ડિસ્કો લાવનાર પ્રથમ મહેશ-નરેશ
આપણે આજે પાર્ટીમાં ગુરુ રંધાવા, હની સિંહ કે બાદશાહના ગીતો પર જુમીએ છીએ અને ગુજરાતી ફિલ્મોમાં પણ એ પ્રકારના ગીતો આવવા લાગ્યા છે પરંતુ જે રીતે મિથુન અને જાવેદ જાફરીએ બોલિવૂડમાં એક અલગ પ્રકારનો ડાન્સ અને ધૂન લઇ આવ્યા તે જ રીતે મહેશ-નરેશ પહેલા એવા કલાકાર છે કે જેમણે ગુજરાતી સિનેમામાં ડિસ્કો લાવ્યા.
ગુજરાતના ગોવિંદા
બોલિવૂડમાં અલગ અલગ કેટલાય કલાકાર આવ્યા જેણે ડાન્સને એક અલગ લેવલ આપ્યું. તે જ રીતે ગુજરાતમાં નરેશ કનોડિયાને ગોવિંદા કહેવામાં આવે છે. કારણકે એક્ટિંગ તો બધા જ કલાકાર કરતા હતા પરંતુ નરેશ કનોડિયાને બીજા કરતા અલગ તેમનો ડાન્સ પાડતો હતો.
દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ
ગુજરાતી સિનેમામાં ઍવોર્ડની જો વાત કરવામાં આવે તો નરેશ-મહેશ તેમાં પણ પાછા પડ્યા નથી. નરેશ કનોડિયાને 2012માં દાદા સાહેબ ફાળકે ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે 125 ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.
314 ફિલ્મોમાં કામ કર્યુ છે. નરેશ કનોડિયાએ ફિલ્મમાં અનન્યા સેવા આપવા બદલ તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.