જાયફળ સ્વાદ અને આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમને જાત જાતના અને ભાતભાતના ભોજન અને મીઠાઇઓ પસંદ કરતા હોય તો તમને ખ્યાલ હશે કે લગભગ ઘણી મીઠાઇઓમાં જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક મીઠાઇઓમાં આ કારણે જ સ્વાદ આવે છે. તમારા માટે જાયફળ સ્વાદ વધારવાનુ સારું માધ્યમ છે.
તમે પુડિંગ બનાવતા હો કે કચોરી. થોડું કસ્ટર્ડ નાંખી દો અને થોડુ જાયફળ. તે તમારી કુકીઝ અને કેકને પણ ટેસ્ટી બનાવે છે. જાયફળ મિક્સ કરો અને ચીઝ સ્લાઇસીસ સાથે બનાવો જબરજસ્ત વાનગીઓ. આ તો થઇ ખુશ્બુદાર મસાલાની વાત. આવો તેની સાથે જોડાયેલી કેટલીક મજેદાર વાતો જાણીએ. તમે એ જાણીને આશ્વર્યમાં પડી જશો કે એક જ પ્રકારના ઝાડ પર બે પ્રકારના મસાલા ઉગે છે. જાયફળ અને જાવિત્રી. જેની ખુશ્બુ લાંબા સમય સુધી તમારા દિલો-દિમાગ પર છવાયેલી રહે છે.
ઇતિહાસ પણ અનોખો
છોડની જેમ તેનો ઇતિહાસ પણ અનોખો અને એટલો જ મનોરંજક છે. એવું માનવામાં આવે છે કે પહેલી શતાબ્દીની આસપાસ તેનો છોડ પહેલીવાર રોમમાં જોવા મળ્યો હતો, પરંતુ છઠ્ઠી શતાબ્દીમાં અરબ વેપારી તેને કોન્સેન્ટીનોપોલ લઇ આવ્યા. આ દરમિયાન ડચ યુધ્ધ છેડાઇ ગયું અને મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની આ દરમિયાન જાયફળના છોડ ભારત લઇ આવી અને અહીંથી પિનાંગ, સિંગાપુર અને વેસ્ટઇન્ડીઝ જેવા દેશોમાં તેને મોકલવામાં આવી. ગ્રીન ગોલ્ડ કહેવાતા આ છોડ મુળ મસાલાની ધરતી કહેવાતા ઇન્ડોનેશિયામાં ઉદ્ભવ્યા છે. જ્યારે તેના ઝાડ પર પીળા રંગના ફુલ ખીલે છે ત્યારે તેની સુંદરતા અનેક ગણી વધી જાય છે. ઇંડાના આકારના આ નાનકડા જાયફળ જ્વાળામુખી વાળા ક્ષેત્રોમાં થાય છે. તેની સૌથી અનોખી વાત એ છે કે તેના મેલ ફીમેલ બંને ઝાડ અલગ અલગ થાય છે.
બ્રેઇન ટોનિક
રોમન અને ગ્રીક સભ્યતાઓમાં જાયફળનો એક બ્રેનટોનિકના રુપમાં ઉપયોગ કરાય છે. જાયફળ થાક અને તણાવ દુર કરવા માટે પણ જાણીતુ છે. તેનાથી એકાગ્રતા વધે છે . તેનાથી બાળકો સ્કુલમાં વધુ એકાગ્ર થઇને અભ્યાસ કરી શકે છે.
દર્દ નિવારક
જાયફળ દર્દની પીડાને શાંત કરવામાં અગ્રણી છે. પ્રાચીન ચાઇનીઝ ઔષધીઓમાં જાયફળ મુખ્ય સ્થાને રહેતુ હતુ. સાંધામા દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, આર્થારાઇટિસના દુખાવામાં છુટકારો મેળવવા માટે જાયફળના તેલને ઉમદા માનવામાં આવે છે.
અપચો
જાયફળનો ઉપયોગ અપચો દુર કરવા માટે આપણા દેશમાં થાય છે. ડાયેરિયા, કબજિયાત, ઉબકા આવવાની સમસ્યાનું નિવારણ જાયફળથી કરાય છે. વાયુ થયો હોય તો પણ જાયફળનું સેવન કરાય છે. નાના બાળકોને પણ દુધમા જાયફળ લસોટીને આપી શકાય છે. તેનાથી પેટની સમસ્યાઓ દુર થાય છે.
મોંની વાસ
ક્યારેક મોં મા વાસ આવતી હોય તો જાયફળના પાવડરના પ્રયોગથી તે દુર કરી શકાય છે. જાયફળમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. તેનાથી મોંમા રહેલા કીટાણુઓ નાશ પામે છે. આજ કારણ છે કે જાયફળનો ઘણી બ્રાન્ડની ટુથપેસ્ટમાં ખુબ જ ઉપયોગ થાય છે.
લીવર અને કીડની શુધ્ધ થાય છે જાયફળથી
શરીરમાંથી ઝેરીલા પદાર્થ હટાવવા માટે જાયફળનો ઉપયોગ થાય છે. ઘણા પ્રકારના ઝેરીલા પદાર્થો ભોજન દ્વારા શરીરમાં પ્રવેશે છે. તેનાથી છુટકારો મેળવવામાં જાયફળ મદદ કરે છે. તેનાથી લીવર અને કિડની બંને શુધ્ધ થાય છે. લીવરના રોગીઓ માટે જાયફળનો પ્રયોગ ઔષધિ તરીકે થાય છે. કિડની સ્ટોન્સથી પણ જાયફળ છુટકારો અપાવી શકે છે. જો દર્દીની કીડની અને લીવર સ્વચ્છ હોય તો તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.