જાયફળ એક એવો મસાલો છે જેને વિશેષ સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. પણ તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવાની જેમ અસર પણ કરે છે. તે પુરૂષો માટે પણ લાભકારી છે.
જાયફળ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવાની જેમ અસર પણ કરે છે
પુરૂષો માટે પણ લાભકારી છે જાયફળ
અનેક તકલીફોમાં રામબાણનું કામ કરે છે આ ઉપાયો
જાયફળ અનેક રોગોના ઉપચાર માટે પણ ગજબની દવા તરીકે કામ કરે છે. આંખ નીચે કાળા કુંડાળા, સ્કિન સમસ્યા, પેટની સમસ્યા, અનિદ્રા, ખાંસી, શ્વાસ, હેળકી અને નપુંસકતા વગેરે વ્યાધિઓને દૂર કરવામાં તે ખૂબ જ ઉપયોગી છે. તેના ચૂર્ણ અને તેલને પણ અનેક બીમારીઓમાં ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ગરમ દૂધમાં ચપટી જાળફળ પાઉડર મિક્સ કરીને પી શકો છો અને તેના ફાયદા મેળવી શકો છો.
આ છે ફાયદાઓ
જાયફળ સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. થોડું જાયફળ પાઉડર પાણી કે મધની સાથે મેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે.
ઈમ્યૂનિટી વધારવા માટે 1 કપ ગરમ દૂધમાં ચપટી જાયફળ પાઉડર, અડધી ચમચી મધ, ચપટી એલચી પાઉડર મિક્સ કરીને પીવો. આ ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક છે.
ભૂખ ન લાગતી હોય તો થોડું જાયફળ લઈને ચૂસો. તેનાથી પાચક રસોમાં વધારો થશે, ભૂખ વધશે અને ભોજન સારી રીતે પચી જશે.
આંખોની નીચે કાળા કુંડાળાથી પરેશાન હોવ તો જાયફળ ઘસીને તે ભાગે લગાવવાથી અથવા ડેઈલી ડાયટમાં તેનું સેવન કરો આ સમસ્યાથી મુક્તિ મળી જશે.
નપુંસકતા આજકાલ પુરુષોમાં જોવા મળતી સામાન્ય સમસ્યા બનતી જઈ રહી છે. આ સમસ્યામાં જાયફળ એક અચૂક ઉપાય છે. જાયફળને ઘસીને દૂધમાં મેળવીને સપ્તાહમાં ત્રણવાર પીવાથી નપુંસકતા દૂર થઈ શકે છે. યૌનશક્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાયફળ ચૂર્ણ અને તેલનો શીઘ્રપતનને દૂર કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
જાયફળ અને દૂધ બંનેમાં ફાયબર હોય છે. આ ડ્રિંક પીવાથી પાચનતંત્ર સુધરે છે અને કબજિયાત થતી નથી.
જાયફળવાળા દૂધમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જેનાથી મેમરી તેજ થાય છે અને અલ્ઝાઈમર થવાની સંભાવના ઘટે છે.
આ હેલ્ધી ડ્રિંક પીવાથી બોડીમાં રહેલાં હાનિકારક તત્વો દૂર થાય છે અને સ્કિનમાં નિખાર આવે છે.
જાયફળવાળા દૂધની તાસીર ગરમ હોય છે. જેથી શરદી-ખાંસીના ઈલાજમાં આ ડ્રિંક ફાયદેમંદ છે.
આ ડ્રિંકમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે અસ્થમાની બીમારીથી બચાવવામાં મદદ કરે છે.
દૂધ અને જાયફળ બંનેમાં ફોસ્ફરસ હોય છે. જેથી આ બંનેને સાથે લેવાથી દાંત મજબૂત થાય છે.
જાયફળવાળા દૂધમાંથી કોપર મળી રહે છે. જેથી તેને પીવાથી વાળ કાળા અને ભરાવદાર બને છે.
જાયફળવાળા દૂધમાં આયર્ન સારી માત્રામાં મળી રહે છે. જેથી એનિમિયાના રોગમાં ફાયદો થાય છે.