બંગાળી અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાએ પતિ નિખિલ જૈન સાથેનો નાતો તોડી નાખ્યો છે.
નુસરત જહાએ પતિ નિખિલ જૈન સાથેનો નાતો તોડ્યો
નુસરત જહા બંગાળી અભિનેત્રી અને ટીએમસી સાંસદ છે
2019 માં બિઝનેશમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં હતા
નુસરત ભાજપ નેતા સાથે અફેરમાં હોવાની ચર્ચા
પતિ નિખિલ સાથેના સંબંધો પૂરા કરવાની જાહેરાત કરતા નુસરતે જણાવ્યું કે અમારા લગ્ન તુર્કીના કાયદા પ્રમાણે થયા હતા તેથી તે ભારતમાં માન્ય નથી. નુસરતે કહ્યું કે આ રીતે જોઈએ તો તલાકનો તો કોઈ સવાલ જ ઉઠતો નથી.
છેલ્લા થોડા સમયથી નુસરત અને નિખિલ વચ્ચે અણબનાવની ખબરો સામે આવી રહી હતી
છેલ્લા થોડા સમયથી નુસરત અને નિખિલ વચ્ચે અણબનાવની ખબરો સામે આવી રહી હતી અને આખરે હવે નુસરતે પતિ સાથેના સંબંધોનો અંત આણ્યો છે. નિખિલાનો દાવો છે કે તે 6 મહિનાથી નુસરત સાથે રહેતા નથી.
નુસરત પ્રેગન્ટ, પણ આ પોતાનું બાળક હોવાનો નિખિલનો ઈન્કાર
બીજી તરફ નુસરતના પ્રેગન્ટ હોવાની પણ ખબર આવી છે. નુસરતની પ્રેગનન્સી પર નિખિલે કહ્યું કે મને તેની કોઈ ખબર નથી. જો નુસરત પ્રેગનન્ટ હોય તો પણ આ તેનું બાળક નથી. નુસરતે નિવેદન જારી કરીને જણાવ્યું કે વિદેશી ધરતી પર લગ્ન થવાને કરાણે તથા તુર્કી મેરેજ રેગ્યુલેશનના જણાવ્યા પ્રમાણે લગ્ન અમાન્ય છે. આ બે અલગ અલગ ધર્મના લોકોની વચ્ચે થયેલા લગ્ન છે. તેથી તેને ભારતમાં કાનૂની મા્યતા આપવાની જરુર હતી પરંતુ આવું થયું નથી. નુસરતે જણાવ્યું કે કાનૂની રીતે આ લગ્ન માન્ય નથી પરંતુ લિવ ઈન રિલેશનશીપ છે. તેથી તલાકનો તો કોઈ સવાલ જ ઉઠતો નથી. કાયદાની નજરમાં આ લગ્ન જરા પણ માન્ય નથી.
2019 માં થયા હતા લગ્ન અને ભાજપ નેતા સાથે અફેરની ચર્ચા
ઉલ્લેખનીય છે કે 2019 માં નુસરતના લગ્ન બિઝનેશમેન નિખિલ જૈન સાથે થયા હતા. નુસરતે તેના લગ્નની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરીને ખુબ વાહવાહી મેળવી હતી. હવે નુસરત લોકપ્રિય એક્ટર અને ભાજપ નેતા યશદાસ ગુપ્તા સાથે સંબંધમાં હોવાનું પણ ચર્ચાય છે. ગયા વર્ષના ડિસેમ્બરમાં તેઓ બન્ને રાજસ્થાનની ટ્રીપ પર પણ ગયા હતા.