તૃણમૂલ સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. પહેલા એ એના લગ્નને લઇને ચર્ચામાં હતી તો બીજી બાજુ સંસદમાં મંગળસૂત્ર પહેરીને અને સિંદૂર લગાવવાને લઇને ચર્ચામાં આવી. જોકે એને લઇને એ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ થઇ હતી. એવામાં હવે એને એક મહિના બાદ આ પાછળનો ખુલાસો કર્યો છે.
જણાવી દઇએ કે આ પહેલા પણ નુસરતે સંસદમાં સિંદૂર અને મંગળસૂત્ર પહેરવાને લઇને કહ્યું હતું કે એ ઇસ્લામ માને છે, પરંતુ એ પતિના રીતિ રિવાજોને ફોલો કરશે. જો કે આ વાતને લઇને ઘણા મુસ્લિમ ધર્મ ગુરુઓને સમસ્યા થઇ હતી.
આ વાતને લઇને નુસરતે મૌન તોડતા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું જો એ ધર્મને લઇને ભેદભાવ કરતી તો આજે એ જે જગ્યાએ પર છે ત્યાં ના હોત. તો સંસદના કિસ્સા માટે નુસરતે કહ્યુંસંસદ પહોંચવાના બે કલાક પહેલા એનો ગૃહ પ્રવેશ થયો હતો જેમાં એ આવી તૈયાર થઇ હતી. ગૃહ પ્રવેશ કરતાં જ એ દિલ્હી માટે રવાના થઇ ગઇ હતો અને ફરી એને સમય મળ્યો નહીં કે એ ફરીથી તૈયાર થઇ શકે.
તો બીજી બાજુ સ્પીકરના પગે લાગવાને લઇને નુસરતે કહ્યું કે મને ખબર નહતી કે મારી પહેલા આવું કોઇએ નહતું કર્યું. તેમજ મને હંમેશા એવું શિખવાડવામાં આવ્યું છે કે જે પણ એ ખુરશી પર બેઠું હોય એની ઇજ્જત કરવી જોઇએ, ઉંમરમાં મોટા હોવાને કારણે હું એમને પગે લાગી હતી.
ત્યારબાદ નુસરતે કહ્યું મેં ક્યારેય વિચાર્યું નતું કે એના લુક્સ અને ડ્રેસિંગને લઇને એ ટ્રોલ થઇ જશે. જેટલું આગળનું લોકોએ વિચારી લીધું બતું એટલું મે આગળ સુધી વિચાર્યું નહતું. મે એ કર્યું જે એ સમયે મને ઠીક લાગ્યું.