બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ 26 ઓગષ્ટે એક તંદુરસ્ત બેબી બોયને જન્મ આપ્યો. અત્યારે અભિનેત્રી અને બાળક બંને તંદુરસ્ત છે. નુસરત જહાંએ હવે જનતાની વચ્ચે જવાનું શરૂ કર્યુ છે. પરંતુ નુસરત જ્યારે પણ ઘરમાંથી નિકળી છે ત્યારે મીડિયાએ તેમને વેધક સવાલ કર્યા છે.
નુસરત જહાંને ફરીથી પૂછવામાં આવ્યું બાળકના પિતાનું નામ
નુસરત જહાંએ કડક ભાષામાં આપ્યો જવાબ, બેકાર સવાલ ના પૂછશો
'બાળકના પિતાને ખબર છે કે તે તેના પિતા છે': નુસરત
નુસરતને પૂછવામાં આવ્યું તેના બાળકના પિતાનું નામ
નુસરતે સ્પષ્ટરીતે આ સવાલોના જવાબ આપ્યાં છે. એક અગ્રગણ્ય વેબસાઈટના રિપોર્ટ મુજબ, તાજેતરમાં નુસરત જહાંને પૂછવામાં આવ્યું કે, તેમના બાળકના પિતા કોણ છે. બુધવારે નુસરત જહાં કલકત્તામાં એક ઈવેન્ટમાં ગઈ હતી. જ્યાં રિપોર્ટરે તેમને સવાલ કર્યો. અભિનેત્રીએ કડક જવાબ આપતા કહ્યું કે, આ બેકાર સવાલ છે. કોઈ પણ મહિલાને પૂછવુ કે તેના બાળકના પિતા કોણ છે, આ તેના ચરીત્ર પર સવાલ ઉભા કરે છે. બાળકના પિતાને ખબર છે કે તે તેના પિતા છે. અમે બંને બાળકનું સારું ભરણપોષણ કરી રહ્યાં છે. યશ દાસગુપ્તા અને હું સાથે સારો સમય વિતાવી રહ્યાં છે.
નુસરતને વધુ સવાલ પૂછવામાં આવ્યાં
અભિનેત્રી નુસરત જહાંને પૂછવામાં આવ્યું કે તેઓ બાળકને ક્યારે બતાવશે? જેના જવાબમાં નુસરતે કહ્યું, આ સવાલ તમે તેના પિતાને પૂછો. યશ દાસગુપ્તા કોઈ પણ વ્યક્તિને બાળક સાથે મળવા દેતા નથી. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલાં યશ દાસગુપ્તાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે બાળકને પોતાના ખોળામાં બેસાડ્યો હતો. આ દરમ્યાન નુસરત પણ તેમની સાથે હતી. નુસરત જહાંની ડિલીવરી બાદ યશ દાસગુપ્તાએ લોકોને બેબીના જન્મની માહિતી આપી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં એક પોસ્ટ શેર કરી કહ્યું હતું કે નુસરત અને તેનો બાળક તંદુરસ્ત છે. તો ઘણાં લોકો યશ દાસગુપ્તા અને નુસરત જહાંની જોડીને પસંદ કરી રહ્યાં છે, કેટલાંક લોકો આ બંનેના સંબંધની નિંદા પણ કરી રહ્યાં છે.