એક નવા અને વિવાદીત આઈડિયાની સાથે આવેલી ફિલ્મ 'જનહિત મેં જારી' રિલીઝ થઇ છે. આ ફિલ્મની કહાની લોકોને ખૂબ પસંદ આવી રહી છે. રીલીઝના બીજા દિવસે ફિલ્મની કમાણીમાં વધારો જોવા મળી રહ્યો છે.
ફિલ્મ 'જનહિત મેં જારી'ના બૉક્સ ઑફિસ કલેક્શનમાં ઉછાળો
બીજા દિવસે ફિલ્મની કમાણીમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો
આ રીતની કમાણી રહી તો ફિલ્મ બીજી ફિલ્મોને ટક્કર આપી શકે
આપી શકે છે ટક્કર
નુસરત ભરૂચાની ફિલ્મ 'જનહિત મેં જારી'ના બૉક્સ ઑફિસ કલેક્શનમાં બીજા દિવસે ઉછાળ જોવા મળ્યો. પહેલા દિવસની સરખામણીએ ફિલ્મના કલેક્શનમાં ઘણો ફેરફાર આવ્યો છે અને જો ફિલ્મની સ્પીડ આ રીતે યથાવત રહી તો ટૂંક સમયમાં આ ફિલ્મ બીજી ફિલ્મોને મોટી ટક્કર આપી શકે છે. દર્શકોને ફિલ્મ તરફ આકર્ષિત કરવા માટે નિર્માતાઓએ ફિલ્મની ટિકિટ પણ ઓછી રાખી છે. ફિલ્મની ટિકિટ 100 રૂપિયામાં પણ મળે છે. નિર્માતાનુ માનવુ હતુ કે આમ કરવાથી ફિલ્મની ટિકિટ વધુમાં વધુ વેચાશે.
આ તમામ યુક્તિઓ બાદ શુક્રવારે જ્યાં ફિલ્મે માત્ર 43 લાખ રૂપિયા કમાયા હતા. તો જાણકારી મુજબ શનિવારે આ ફિલ્મે 70 લાખ રૂપિયા કમાયા છે. રવિવારે પણ આ ફિલ્મની કમાણી વધવાના ઘણા અણસાર છે અને જો આવુ થાય છે તો નુસરતની આ ફિલ્મ કમાલ કરી જશે. ઉલ્લેખનીય છે કે નુસરત ભરૂચાની ફિલ્મ જનહિત મેં જારીની કહાની એક કોન્ડોમ વેચનારી યુવતી વિશે છે. સમાજની રૂઢીચુસ્ત વિચારધારાને પડકારતી આ ફિલ્મમાં મનોરંજનનો મસાલો ભરપૂર આપવામાં આવ્યો છે.