સરકારી કર્મચારીઓને વિશે હંમેશા કામચોરી અને ભ્રષ્ટ હોવાની નજરે જ જોવામાં આવે છે. પણ દરેક સમયે આ નજરીયો સાચો નથી હોતો. કારણ કે, આજે એવા પણ અનેક કર્મશીલ સરકારી કર્મીઓ છે. જે જીવતા જાગતા માનવતાના દીવા બરાબર છે અને કદાચ એટલે જ આ વ્યવસ્થા પર આજે પણ વિશ્વાસ ટકી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બિહારમાં કેવી ભયાનક પૂરની સ્થિતિ છે. જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને તમામ પ્રકારનો સંપર્ક તૂટી ગયો છે. એવામાં બિહારના મધુબાની જિલ્લાના એક મહિલાને પ્રસુતીને પીડા ઉપડે છે.
Bihar: Nirmala Kumari, a nurse helped in delivery of a baby girl in flood affected Raghauli village of Madhubani. She says,"when I was informed about the lady,I&an Accredited Social Health Activist (ASHA) worker waded through flood water to help in delivery.Mother&child are fine" pic.twitter.com/JxRGconm3w
પરંતુ બહાર નિકળી શકાય તેવી કોઈ વ્યવસ્થા નથી. પણ કહેવત છેને રામ રાખે એને કોણ ચાખે. આવું જ આ પરિવાર સાથે થયું. નિર્મલા નામની એક સરકારી નર્સ તેમના માટે પૂરની વચ્ચે ભગવાનનો અવતાર બનીને આવી અને મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી અને મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.
નિર્મલાનું કહેવું છે કે જ્યારે તેમને જાણ થઈ ત્યારે એક સામાજિક કાર્યકર આશા અને નેતા પતિએ તેમને પીડિતા સુધી પહોંચાડવામાં મદદ કરી અને મહિલાને યોગ્ય સમયે સારવાર મળી. આ ઘટના પરથી ચોક્કસથી કહી શકાય કે દેશમાં આજે પણ એવા કર્મચારીઓ છે જે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે અને લોકહીતના કાર્યો કરે છે. વીટીવી આ નિષ્ઠાને સલામ કરે છે.