નૂપુર શર્માના Instagram પરની કૉમેન્ટ ઉપર સમર્થન કરનારા વેપારીને ધમકી આપનાર એક મહિલા સહિત 3 શખ્સોની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.
નૂપુર શર્માને સમર્થન કરનારને મળી ધમકી
ધમકી આપનાર 3ની સુરતની ઉમરા પોલીસે કરી ધરપકડ
અલગ અલગ IDથી આપી હતી ધમકી
નૂપુર શર્માએ આપેલા નિવેદન બાદ જે પ્રકારે તેમના સમર્થન કરનારાઓને ધમકી આપવામાં આવી રહી છે અને જાનથી મારી નાખવામાં આવી રહ્યા છે. તેને લઈને પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે. સુરતના વેસુમાં રહેતા અને રાહુલ રાજ મોલમાં દુકાન ધરાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વિશાલ પટેલ નામના વેપારીએ તેમના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર નૂપુર શર્માના સમર્થનમાં સ્ટોરી અપલોડ કરી હતી જેને લઈને અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મોતની ધમકી આપવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા ત્રણે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
મહંમદ અયન મહંમદ નાઈમ આતશબાજીવાળા
રાશીદ રફીક ભૂરા
આલિયા મહંમદઅલી ગાગન
"સુરત મેં રહેના હૈ યા જાના હૈ, ફીલહાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે"
નૂપુર શર્માની થયેલ આ સ્ટોરી બાબતે માફી માંગતા હોય તેવી કોમેન્ટ કરી હતી. આ સ્ટોરી તાત્કાલિક ડીલીટ કરી તેમ છતા પણ નીચેની ઇન્સ્ટાગ્રામ IPO પરથી ગાળીગલોચ કરેલ તથા ઇન્સ્ટાગ્રામ ID nyatan.natash પરથી સુરત મે રહેના હૈ યા જાના હૈ અને ફીલહાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે
નીચેની ઇન્સ્ટાગ્રામ ID ઓ પરથી ધમકી આપવામાં આવી હતી.
(5) sehjad_cutpicewala https://instagram.com/vebird_cutpicewala ( s ) beingwasimak
(6) mr_fala__1460 https://www.instagram.com/m
સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન પણ જો કોઈ વ્યક્તિ કરે તો સીધા તેને ધ્યાનથી મારી નાખવા સુધીની ધમકીઓ આપવાની શરૂ થઈ ગઈ છે. એક ચોક્કસ વર્ગના વ્યક્તિઓ કે જેઓ સોશિયલ મીડિયા ઉપર ધાક ધમકી આપીને ડરનો માહોલ ઉભો કરવા માંગી રહ્યા છે. પોલીસ પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. કારણ કે જે પ્રકારે કનૈયાલાલની હત્યા થઈ ત્યારબાદ કોઈપણ રાજ્યની પોલીસ કોઈપણ ધમકીને હળવાશથી લેતી નથી. થોડા દિવસ અગાઉ સીતિલ એડ વિસ્તારના યુવકને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મહંમદ અયાન આતસબાજીવાલા સુરતના જાણીતા પરિવારમાંથી આવે છે. તેની ધરપકડ થતાં જ શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.