ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટિપ્પણી મામેલ 57 સભ્યીય ઈસ્લામિક કંટ્રીના સંગઠન ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC) સુધી પહોંચી ગયો છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નૂપુર શર્માની ટિપ્પણીનો વિવાદ
ઈસ્લામિક સંગઠનોએ કરી આકરી ટિકા
સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકારને કરી આ અપીલ
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નૂપુર શર્માની પૈગંબર મોહમ્મદ પર વિવાદીત ટિપ્પણી મામેલ 57 સભ્યીય ઈસ્લામિક કંટ્રીના સંગઠન ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC) સુધી પહોંચી ગયો છે. ઓઆઈસીએ ભારતનો ઘેરાવ કરતા સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર સંગઠનોને અપીલ કરી છે કે, ભારતમાં મુસ્લિમોને ટાર્ગેટ બનાવવા વિરુદ્ધ જરૂર પગલા ઉઠાવામાં આવે.ચ ભારતે પણ ઓઆઈસીના આરોપનો વળતો જવાબ આપ્યો છે કે ભારત તેમના આરોપને ફગાવી રહ્યું છે. ભારતે ઓઆઈસીની ટિપ્પણીને પ્રેરિત, ભ્રામક અને મશ્કરીભર્યું ગણાવ્યું છે.
We have noted statements and comments from Pakistan. The absurdity of a serial violator of minority rights commenting on the treatment of minorities in another nation is not lost on anyone: Ministry of External Affairs (MEA) pic.twitter.com/e6046Vgwex
ઓઆઈસીએ ટ્વિટર પર એક બાદ એક ટ્વિટ કરીને આ મામલે આકરી ટિકા કરી છે. એક ટ્વિટમાં સંગઠન તરફથી લખવામાં આવ્યું છે કે, ઓઆઈસીના મહાસચિવે પૈંગંબર મોહમ્મદ પ્રત્યે ભારતના સત્તાધારી પક્ષના એક વ્યક્તિ દ્વારા વિવાદાસ્પદ નિવેદનની આકરી ટિકા કરી છે.
ઓઆઆઈસી તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારતમાં મુસ્લિમ વિરુદ્ધ હિંસામાં વધારો થઈ રહ્યો છે. સંગઠને ભારતના કેટલાય રાજ્યોમાં શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ બૈન અને મુસ્લિમોની સંપત્તિઓને નુકસાન પહોંચાડવાનો ઉલ્લેખ કર્યો છે.
— منظمة التعاون الإسلامي (@oicarabic) June 5, 2022
ઓઆઈસીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, ઓઆઈસી આહ્વાન કરે છે કે, આ પ્રકારની વાંધાજનક ટિપ્પણી અને પેગંબર મોહમ્મદના કઈ પણ પ્રકારના અપમાન વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, જે પણ પાર્ટી મુસ્લિમ વિરુદ્ધ હિંસા અને ધૃણા ફેલાવે છે, તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.
ઓઆઈસીએ આગળ લખ્યું છે કે, આ સંગઠન ભારતીય અધિકારીઓને દેશમાં મુસ્લિમ સમુદાયની સુરક્ષા અને તેમના કલ્યાણની ગેરેન્ટી આપવા, તેમના અધિકારો, ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખાણ, ગરિમા અને ધાર્મિક સ્થળોની રક્ષા કરવા માટે આહ્વાન કરે છે.
ઓઆઈસીએ સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર સંગઠનને કાર્યવાહી કરવાની અપીલ કરતા લખ્યુ છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય, વિશેષ રીતે સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર પરિષદથી મુસ્લિમોને ટાર્ગેટ કરવાના કેસમાં સંબોધિત કરવા માટે જરૂરી પગલા ઉઠાવવાનું આહ્વાન કર્યું છે.
India rejects OIC secretariat's 'unwarranted, narrow-minded' statement
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ OIC મહાસચિવની ટિપ્પણીને નકારી કાઢી હતી. એક નિવેદનમાં, તેમણે કહ્યું, "ભારત સરકાર OIC સચિવાલય દ્વારા કરવામાં આવેલી અયોગ્ય અને સંકુચિત ટિપ્પણીઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે." ભારત સરકાર તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે.
નિવેદનમાં, પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ધાર્મિક વ્યક્તિત્વને બદનામ કરતી વાંધાજનક ટ્વીટ્સ અને ટિપ્પણીઓ કેટલાક લોકો દ્વારા કરવામાં આવી હતી. તેઓ કોઈપણ રીતે ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી. સંબંધિત સંસ્થાઓએ પહેલાથી જ તે વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે.
We have seen the statement on India from the General Secretariat of the OIC. Government of India categorically rejects OIC Secretariat's unwarranted and narrow-minded comments. The Government of India accords the highest respect to all religions: Ministry of External Affairs(MEA) pic.twitter.com/hgLunrhqsT
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, "તે ખેદજનક છે કે OIC સચિવાલયે ફરી એકવાર પ્રેરિત, ભ્રામક અને ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી છે." તે માત્ર અમુક હિતોના ઈશારે ચાલી રહેલા વિભાજનકારી એજન્ડાને દર્શાવે છે. અમે OIC સચિવાલયને તેના સાંપ્રદાયિક અભિગમને અનુસરવાનું બંધ કરવા અને તમામ ધર્મોને યોગ્ય આદર બતાવવા વિનંતી કરીશું.