પયગમ્બર મોહમ્મદ પર વિવાદિત ટીપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ નુપુર શર્માએ એક નિવેદન જારી કરીને માફી માગી છે.
પયગમ્બર મોહમ્મદ પર વિવાદિત નિવેદનનો મામલો
ભાજપમાંથી સસ્પેન્ડ નુપુર શર્માએ માગી માફી
કહ્યું, કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો હેતુ નહોતો
ટીવી ડિબેટમાં નુપુર શર્માએ પયગમ્બર મોહમ્મદ પર આપ્યું હતું વિવાદિત નિવેદન
ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી કર્યાં છે સસ્પેન્ડ
પયગમ્બર મોહમ્મદ પર વિવાદિત નિવેદન મામલે સસ્પેન્ડેડ બીજેપી પ્રવક્તા નૂપુર શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાની ટીપ્પણી બદલ માફી માગી હતી. પાર્ટીમાંથી સસ્પેન્શનની કાર્યવાહી બાદ નૂપુર શર્માએ ટ્વિટ કર્યું, "હું છેલ્લા ઘણા દિવસોથી ટીવી ડિબેટ પર જઈ રહી છું, જ્યાં મારા આરાધ્ય શિવજીનું દરરોજ અપમાન થઈ રહ્યું હતું. મારી સામે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે શિવલિંગ નથી પણ એક ફુવારો છે. દિલ્હીના દરેક ફૂટપાથ પર અનેક શિવલિંગ જોવા મળે છે, જઈને પૂજા કરો. આ રીતે વારંવાર આપણા મહાદેવ શિવજીનું અપમાન મારી સામે હું સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ અને થોડી વાતો કહી દીધી. જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું મારા શબ્દો પાછા ખેંચું છું. મારો ઇરાદો ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો.
BJP leader Nupur Sharma issues an apology; tweets, "I take back my words if they hurt anyone's religious sentiments." pic.twitter.com/yIFc4oKYs5
મારી આંખ સામે મારા આરાધ્ય દેવ શિવજીનું થઈ રહ્યું છે અપમાન-નુપુર શર્મા
નૂપુર શર્માએ ટ્વિટ કરીને જણાવ્યું કે મારા આરાધ્ય શિવજીનું દરરોજ અપમાન કરવામાં આવી રહ્યું છે. શિવજીનું અપમાન હું સહન ન કરી શકી એટલે ગુસ્સામાં આવીને આવી વાતો કહી દીધી.
મારા ઘરનું સરનામું જાહેર ન કરો, પરિવારની સુરક્ષા સામે ખતરો- નુપુર
આ કાર્યવાહી બાદ તરત જ નૂપુર શર્માએ અપીલ કરી હતી કે તેમના ઘરનું સરનામું જાહેર ન કરવામાં આવે અને તેનાથી તેમના પરિવારની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે.
ભાજપે નુપુર શર્મા અને નવીન જિંદલને કર્યા સસ્પેન્ડ
ટીબી ડિબેટમાં મોહમ્મદ પયગંબર પર વિવાદીત નિવેદન આપવાનું પ્રવક્તા નુપુર શર્માને ભારે પડ્યું છે. ભાજપ હાઈકમાન્ડે નુપુર શર્મા અને નવીન કુમાર જિંદલને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
ભાજપ મહાસચિવ અરુણ સિંહે જારી કર્યું નિવેદન
ભારતીય જનતા પાર્ટીએ રવિવારે કહ્યું હતું કે પાર્ટી તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના ધાર્મિક વ્યક્તિત્વના અપમાનની કડક નિંદા કરે છે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે એક નિવેદનમાં કહ્યું કે, તેમની પાર્ટી કોઈ પણ વિચારધારા કે કોઈ પણ વિચારધારાની વિરુદ્ધ છે જે ધર્મનું અપમાન કે અપમાન કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ આવા લોકો અને તેમના વિચારને પ્રોત્સાહન આપતું નથી. જો કે તેમણે કોઇ ઘટના કે ટિપ્પણીનો કોઇ સીધો ઉલ્લેખ કર્યો નથી.
ભાજપ તમામ ધર્મોનું સન્માન કરે છે- પાર્ટી મહાસચિવ
ભાજપ મહાસચિવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાર્ટી તમામ ધર્મોનું સન્માન કરે છે. તેમણે ભારતના ગૌરવશાળી ઈતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે હજારો વર્ષોથી દેશમાં દરેક ધર્મનું સન્માન કરવામાં આવે છે. દેશની માટીમાં દરેક ધર્મનો વિકાસ થયો છે. અરુણસિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાર્ટી કોઈપણ ધર્મના કોઈપણ ધાર્મિક વ્યક્તિત્વ સામે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની કડક નિંદા કરે છે. ભારતના સંવિધાનનો ઉલ્લેખ કરતા સિંહે કહ્યું કે આપણા બંધારણમાં દરેક નાગરિકને પોતાની પસંદના કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે.
નવીન કુમાર જિંદલ પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ
ભાજપે મીડિયા પ્રભારી નવીન કુમાર જિંદલને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે.ભાજપની કાર્યવાહી બાદ જિદંલે કહ્યું કે હું પાર્ટીના નિર્ણયનું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે મારો કહેવાનો મતલબ એવો નથી કે હું કોઈ ધર્મની વિરૃદ્ધમાં છું.
Naveen Kumar Jindal, post his expulsion from BJP, tweets "... my question does not mean that I am against any religion." pic.twitter.com/xM4nJ5uh28
ટીવી ડિબેટમાં નુપુર શર્માએ કરી હતી વિવાદિત ટીપ્પણી
ઉલ્લેખનીય છે કે એક ટીવી ડિબેટમાં નુપુર શર્માએ ઈસ્લામના મહાન પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણી કરી હતી જેનો મોટાપાયે વિરોધ થયો હતો. ભાજપે પણ પવન પારખીને નુપુર શર્મા અને મીડિયા પ્રભારી નવીન જિંદલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.