લોકસભા ચૂંટણી 2019 માટે પ્રધાનમંત્રી મોદીએ પોતાનું નામાંકન વારાણસી સંસદીય સીટથી દાખલ કરી દીધું છે. આ તારીખ છે 26 એપ્રિલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું નામાંકન 17મી લોકસભા માટે ફરીથી કર્યું છે. પ્રધાનમંત્રી મોદીના જન્મની તારીખ 17 સપ્ટેમ્બર છે.
શું તમે જાણો છો કે પીએમ મોદીએ અત્યાર સુધી જેટલા પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે અને યોજનાઓ શરૂ 8, 17 અને 26ની તારીખમાં લીધા છે. પ્રધાનમંત્રી બનતા જ પહેલો મોટો નિર્ણય નોટબંધીનો લીઝો અને તારીખ અને સમય 8 નવેમ્બર 8 વાગ્યે. તાજેતરમાં પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરાવવાનો નિર્ણય લીધો હતો ત્યારે તારીખ પણ 26 ફેબ્રુઆરી હતી.
2014માં થયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીએ 26 મે ના રોજ શપથ લીધા હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજના, ડિજીટલ ઇન્ડિયા યોજનાની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. તમે વિચારી રહ્યા હશો કે અમે તમને આ તારીખ કેમ જણાવી રહ્યા છીએ. વાસ્તવમાં આ તારીખોનું કનેક્શન જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ ખાસ છે. આ તમામ અંકોનો સરવાળો 8 આવે છે એટલે કે પ્રધાનમંત્રી મોદીએ અત્યાર સુધી જેટલા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે એનો મૂળાંક 8 છે. જ્યાતોષિમાં 8 મૂળાંકને ખૂબ શુભ માનવામાં આવ્યો છે.
26 એપ્રિલ નામાંકન પર શુભ યોગ
26 એપ્રિલે બંને અંકોને જોડવા પર એનો મૂલાંક 8 આવે છે. 26 એપ્રિલ ઉત્તરાસાઢા નક્ષત્ર, સર્વાર્થસિદ્ધિયોગ અને સાધ્ય યોગ બન્યો. જ્યોતિષમાં આ યોગ ખૂબ શુભ હોય છે.
આ યોગ અને નક્ષત્રમાં કરવામાં આવતું કોઇ પણ શુભ કાર્ય જરૂર સફળ થાય છે. તો બીજી બાજુ અંક જ્યોતિષના અનુસાર મૂળાંક 8 પણ ખૂબ જ શુભ અંક માનવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ અને શનિદેવનો મૂળાંક પણ 8 છે.
નંબર 8 નું પ્રધાનમંત્રી મોદી સાથે કનેક્શન
મોદીની જન્મ તારીખ 17 છે. જેનો મૂળાંક 8 છે અને તમામ મહત્વપૂર્ણ નિર્ણયોનો મૂળાંક પણ 8 નિકળે છે. પ્રધાનમંત્રી મોદીનો જન્મ વૃશ્ચિક લગ્નમાં થયો છે. વૃશ્ચિક લગ્નને 8 નંબરનો લગ્ન માનવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીની જન્મ રાશિ પણ વૃશ્ચિક છે રાશિ ચક્કમાં વૃશ્ચિક રાશિ 8માં નંબરની રાશિ છે. આ જ્યોતિષ ગણના અનુસાપ પ્રઘાનમંત્રી મોદી માટે 8 નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે.