અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ અમુક તારીખોમાં થયો હોય તેમના પર રાહુનો પ્રભાવ હોય છે. તેમના જીવનમાં રાહુના કારણે ઉથલ-પાથલ પણ થઈ શકે છે. એવામાં તેમને ખાસ કાળજી રાખવી જોઈએ
આ તારીખોમાં જન્મેલા લોકો પર હોય છે રાહુનો પ્રભાવ
રાહુના કારણે જીવનમાં આવી શકે છે ઉથલ-પાથલ
તેથી આ અંકોના વ્યક્તિઓએ રાખવી ખાસ કાળજી
અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 4, 13 કે 22 તારીખે થયો હોય તેમનો મૂળાંક 4 હોય છે. આ અંકવાળા લોકો પર રાહુનો પ્રભાવ છે.
મૂળાંક 4 ના લોકો જીવનમાં ઉથલ-પાથલ બિલકુલ સહન કરતા નથી. આ લોકો ખૂબ જ વ્યવહારુ હોય છે. તેમને કલ્પનાઓની દુનિયામાં જીવન જીવવાનું પસંદ નથી. આ લોકો ઈચ્છે છે કે દરેક વસ્તુ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત હોય.
સમજી વિચારીને લે છે નિર્ણય
નંબર 4 ના લોકો કોઈપણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લે છે. આ લોકો ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય લેતા નથી.
વધારે દૂરનું નથી વિચારતા આવા લોકો
મૂળાંક 4 ધરાવતા લોકો ખૂબ જ મહેનતુ અને સાહસિક હોય છે. તેઓ જીવનમાં ક્યારેય મહેનત કરવામાં પાછા નથી પડતા. આ લોકો પરિસ્થિતિ અને સમય અનુસાર કોઈપણ નિર્ણય લે છે. વધુ દૂર વિચારતા નથી.
સાદુ અને સામાન્ય જીવન જીવે છે આવા લોકો
મૂળાંક 4 ધરાવતા લોકોનું જીવન ખૂબ જ સાદું અને સામાન્ય હોય છે. આ લોકો ખૂબ જ આયોજનબદ્ધ રીતે કામ કરે છે.
મિત્રો બનાવવાની કળા
મૂળાંક 4 ધરાવતા લોકો મિત્રો બનાવવાની કળા સારી રીતે જાણે છે. જોકે તેમની મિત્રતા લાંબો સમય ટકતી નથી.
બુદ્ધિશાળી હોય છે આવા લોકો
મૂળાંક 4 વાળા લોકો બુદ્ધિશાળી હોય છે અને દરેક વિષયનું સારું જ્ઞાન ધરાવતા હોય છે, પરંતુ આ લોકો ઘમંડી અને ઉપદ્રવી હોય છે.