ગુજરાત કુપોષિત બાળકોને મામલે બેદરકાર હોવાનું એકવાર ફરી સામે આવ્યું છે. સુરતમાં કુપોષિત અને અતિકુપોષિત બાળકીઓના આંગણવાડીના આંકડા સામે આવ્યા છે જેને પગલે બાળકોની પરિસ્થિતિ સમજી શકાય છે.
સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી
2018માં 1484, વર્ષ 2019માં 3084 બાળકો કુપોષિત
સુરત મહાનગર પાલિકા કુલ 1002 આંગણવાડી ચાલે છે
બાળકોને પુરતું પોષણ આપવા માટે સરકારના મીડ ડે મીલ જેવા કાર્યક્રમ વચ્ચે સુરત શહેરમાં પાલિકા દ્વારા ચલાવાતી આંગણવાડીમાં એક જ વર્ષમાં 1600 અતિકૃપોષિત બાળકો વધી ગયા છે. 1600માંથી સૌથી વધુ અતિકૃપોષિત બાળકો લિંબાયત ઝોનમાં નોંધાયા છે. લિંબાયતમાં વર્ષ 2018માં 556 સામે 2019માં અતિકૃપોષિત બાળકોનો આંકડો 1157ને પાર થઇ ગયો છે. આમ એક જ વર્ષમાં લિંબાયતમાં 601 અતિકૃપિષોત બાળકોની સંખ્યા વધી ગઇ છે.
સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી
જ્યારે પાછલા એક વર્ષમાં અન્ય ઝોનમાં વધેલા અતિકૃપોષિત બાળકોની વાત કરીએ તો વરાછામાં 227, અઠવામાં 132, ઉધનામાં 177, રાંદેરમાં 208, કતારગામમાં 255 બાળકોનો સમાવેશ થાય છે. સુરત મહાનગર પાલિકા કુલ 1002 આંગણવાડી ચાલે છે. જેમાં કુલ 26267 બાળકો અભ્યાસ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ બાળકો સુપોષિત બને તે માટે સરકાર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જો કે તેમ છતાં કૃપોષિત બાળકોની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે.