કોરોના મહામારીની અસર મામલે પ્યુ રિસર્ચની એક ચોંકાવનારી રિપોર્ટ સામે આવી છે જેમાં ભારતમાં ગરીબોની સંખ્યા ડબલ થઈ ગઈ હોવાનો દાવો છે.
કોરોનાના કારણે અર્થતંત્ર ખોરંભે
મિડલ ક્લાસના લોકોની સંખ્યામાં ઘટાડો
ગરીબોની સંખ્યા થઈ ગઈ ડબલ
ભારતમાં કોરોનાનો કહેર
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં અર્થતંત્ર પર ખૂબ ગંભીર અસર થઈ છે ત્યારે ભારતના અર્થતંત્રને પણ મહામારીના દોરમાં જોરદાર ફટકો પડ્યો છે. વાયરસને રોકવા માટે ભારતમાં લાંબા સમય સુધી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું ત્યારે અમેરિકા એક પ્યુ રિસર્ચ રિપોર્ટ સામે આવી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મધ્યમ વર્ગની સંખ્યામાં મહામારીના કારણે ઘટાડો આવ્યો છે અને ગરીબોની સંખ્યા ડબલ થઈ ગઈ છે.
મિડલ ક્લાસના લોકો ઘટયા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક જ વર્ષમાં ભારતમાં મધ્યમ વર્ગના લોકોની સંખ્યા ઘટીને 6.6 કરોડ થઈ ગઈ છે જ્યારે કોરોના સંકટ પહેલા ભારતમાં 9.9 કરોડ લોકો મધ્યમ વર્ગમાં આવતા હતા.
ગરીબો ડબલથી પણ વધારે થઈ ગયા
ગરીબોની વાત કરીએ તો આ રિપોર્ટ અનુસાર ભારતમાં ગરીબોની સંખ્યા અત્યારે 13.4 કરોડ થઈ જવાનું અનુમાન છે જે કોરોના પહેલા 5.9 કરોડ હતી. આમ કહી શકાય કે ભારતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. આ જ કારણ છે કે મનરેગા હેઠળ શ્રમ કરવાની માંગ કરતાં લોકોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. નોંધનીય છે કે જે વ્યક્તિ દિવસના બે ડોલરથી પણ ઓછી કમાણી કરે છે તેમને ગરીબની શ્રેણીમાં રાખવામાં આવે છે.
ચીનને વધારે નુકસાન નહીં
નોંધનીય છે કે આ રિપોર્ટમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ મહામારી સૌથી પહેલા જ્યાં ફેલાઈ હતી તે દેશ ચીન પોતાનું અર્થતંત્ર સંભાળવામાં કામયાબ રહ્યું છે.
આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે ભારત
રિપોર્ટ અનુસાર ભારતમાં મિડલ ક્લાસની વસ્તીમાં મોટો ઘટાડો આવ્યો છે અને જે લોકોએ પોતાની નોકરી ગુમાવી છે તે બધા જ ગરીબી રેખામાં આવી ગયા છે. કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગી જવાના કારણે આર્થિક ગતિવિધિઓ બંધ કરી દેવામાં આવી અને ભારત 40 વર્ષની સૌથી મોટી આર્થિક મંદીમાં ડૂબી ગયો.