દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં જ્યારે સમગ્ર દેશમાં ચાર લાખથી વધુ કેસો સામે આવી રહ્યા હતા
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાઈ રહ્યા છે ઓછા કેસો
છેલ્લા 24 કલાકમાં 41,506 કેસો સામે આવ્યા
895 દર્દીઓના કોરોના વાયરસને કારણે મોત થયા
દેશમાં છેલ્લા 8 દિવસથી નોંધાઈ રહ્યા છે ઓછા કેસો
દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં જ્યારે સમગ્ર દેશમાં ચાર લાખથી વધુ કેસો સામે આવી રહ્યા હતા, હવે આ કેસમાં સારા સમાચાર એવા છે કે આ કેસમાં એક લાખથી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલયે આપેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 41,506 કેસો સામે આવ્યા છે અને 895 દર્દીઓના કોરોના વાયરસને કારણે મોત થયા છે. આ આંકડા છેલ્લા 20 દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી ઓછા આંકડા છે.
એક નજર છેલ્લા પાંચ દિવસના આંકડા પર
કોરોનાની બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થવા લાગી છે. કોરોના સંક્રમણના સતત કેસ 1 લાખથી ઓછા રહ્યા છે. ગત પાંચ દિવસમાં દેશમાં 84 હજાર 332 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 4002 દર્દીઓના જીવ ગયા છે. ખાસ વાત એ છે કે 20 દિવસમાં કોરોના સંક્રમણના સૌથી ઓછા કેસ આવ્યા છે. કોરોનાના નવા કેસો સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 કરોડ 8 લાખ 37 હજાર 222 થઈ ગઈ છે.જ્યારે 66 દિવસ પછી ભારતના સક્રિય કેસનો આંકડો 5 લાખથી પણ નીચે આવ્યો છે. દેશમાં હવે રિકવરી રેટ 97.20 ટકા થઈ ગયો છે.
દેશમાં કુલ આટલા કેસો છે એક્ટિવ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 લાખ 54 હજાર 118 એક્ટિવ કેસ છે. જ્યારે 2 કરોડ 79 લાખ 11 હજાર 384 લોકો સાજા થઈ પોતાના ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4 લાખ 8 હજાર 40 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મોટી રાહત મળતી જોવા મળી રહી છે. 4 જૂનના દિવસે 1,32,364 નવા કેસ, 9 જૂનના દિવસે 92, 596 કેસો નવા આવ્યા, 14 જૂનના દિવસે 70, 421 નવા કેસો સામે આવ્યા.