કોરોના સંક્રમનમાં ઘટડો નોંધાઈ રહ્યો છે, જ્યારે મોટા શહેરામાં હજુ પણ સંક્રમણ ફેલાવવાનું જોખમ જોવા મળી રહ્યું છે, કેસ વધવાની સાથે અન્ય મુશ્કેલીઓ પણ વધી રહી છે
વડોદરામાં હજુ પણ વધી રહ્યા છે કેસ
કોરાના બાદ મ્યુકર માઈકોસિસનું જોખમ
શહેરમાં 103ના મોત, કોરોનામાં 8ના મોત
રાજ્યમાં કેસ ઘટ્યા, વડોદરમાં સ્થિત યથાવત
રાજ્યમાં મોટા ભાગના શહેરમાં કેસ ઘટી રહ્યા છે ત્યારે વડોદરામાં હજુ પણ કેસ વધી રહ્યા છે. ગઈ કાલે વડોદરા શહેરમા 945 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં મૃત્યુ આંક 103 સુધી પહોંચી ગયો છે. જો કે સત્તાવાર રીતે કોરાનાથી 8 દર્દીઓના માોત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે.
રેમડેસિવિર ઈન્જેક્શનની અછત
કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત યથાવત છે, રેમડેસિવિયર ઈજેક્શન માટે દર્દીઓના પરિજનો દોડધામ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ઈજેક્શનની હેરાફેરી કરવામાં આવતી હોવાનું જણાઈ રહ્યું છે, જેથી ઈજેક્શન માટે હોસ્પિટલનું ઓડિટ કરવામાં આવે તેની માંગ ઉઠી રહી છે.
કોરોના બાદ અન્ય મુશ્કેલીઓ
કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થઈ ગયા બાદ તેમના પર મ્યુકર માઈકોસિસનું સંકટ મંડરાયેલું હોય છે, એવામાં ઘણા બધા દર્દીઓમાં મ્યુકર માઈકોસિસના લક્ષણો જોવા મળ્યા છે, તો વળી મ્યુકર માઈકોસિસ ધરાવતા કેટલાક દર્દીઓની સર્જરી પણ કરવામાં આવી છે, તો કેટલાક દર્દીઓના મોત પણ સામે આવ્યા છે. મહત્વનું છે કે મ્યુકર માઈકોસિસ એ સ્ટિરોઈડના ઉપયોગને કારણે જોવા મળતો હોય છે.