રસીકરણ પર ભારતની ટોચની સંસ્થા એનટીએજીઆઈ કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો ગેપ ઘટાડી દીધો છે. હાલમાં આ પ્રકારની જાણકારી સામે આવી રહી છે.
કોરોનાની રસીને લઈને આવ્યા રાહતના સમાચાર
ઝડપી મળશે હવે રસી
કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડ્યું
રસીકરણ પર ભારતની ટોચની સંસ્થા એનટીએજીઆઈ (National Technical Advisory Group on Immunisation) એ કોવિડ વિરોધી રસી કોવિશીલ્ડનો બીજો ડોઝ પ્રથમ ડોઝ બાદ આઠથી 16 અઠવાડીયા વચ્ચે આપવાની ભલામણ કરી છે. સત્તાવાર સૂત્રોએ રવિવારે આ પ્રકારની જાણકારી આપી છે. હાલમાં કોવિશીલ્ડનો બીજો ડોઝ રાષ્ટ્રિય કોવિડ 19 રસીકરણ નીતિ અંતર્ગત પ્રથમ ડોઝના 12-16 અઠવાડીયાની વચ્ચે આપવામાં આવે છે.
બે ડોઝ વચ્ચેનો ગેપ ઘટાડ્યો
NTAGI એ હજૂ સુધી ભારત બાયોટેકના કોવેક્સિનના ડોઝ આપવાના સમયગાળામાં કોઈ ફેરફારની ભલામણ કરી નથી. જેનો બીજો ડોઝ પ્રથમ ડોઝના 28 દિવસ બાદ આપવામાં આવે છે. કોવિશીલ્ડ વિશે ભલામણને હજૂ સુધી રાષ્ટ્રિય કોવિડ 19 રસીકરણ કાર્યક્રમમાં લાગૂ નથી કરવામાં આવ્યો. એક સત્તાવાર સૂત્રએ કહ્યું કે, NTAGIની નવી ભલામણ પ્રોગ્રામેટિક ડેટાથી મેળવેલી હાલની વૈશ્વિક વૈજ્ઞાનિક સાક્ષ્ય પર આધારિત છે.
સૂત્રએ કહ્યું કે, તે અનુસાર, જ્યારે કોવિશીલ્ડનો બીજો ડોઝ આઠ અઠવાડીયા બાદ આપવામા આવે છે, તો ઉત્પન્ન એન્ટીબોડી પ્રતિક્રિયા લગભગ 12થી 16 અઠવાડીયાના ગાળા પર ડોઝ આપવા બરાબર હોય છે. સૂત્રએ કહ્યું કે, કેટલાય દેશોમાં કોવિડ 19ના વધતા કેસોની વચ્ચે આ નિર્ણય બાકી છથી સાત કરોડ લોકોને કોવિશીલ્ડનો બીજો ડોઝ મળી જશે.
સરકારે ગત વર્ષે બંને ડોઝ વચ્ચેનું અંતર લંબાવ્યું હતું
સરકારે 13 મે 2021ના રોજ NTAGIની ભલામણોના આધાર પર કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે અંતરને 6-8 અઠવાડીયા વધારીને 12-16 અઠવાડીયા કરી દીધા હતા. NTGAI દેશમાં રસીથી રોકાતી બિમારીના પ્રભાવી નિયંત્રણ સંબંધમાં રસીકરણ સેવાઓ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને માર્ગદર્શન સલાહ આપે છે.
દેશમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. રવિવારે કોરોના કેસ ઘટીને 1761 થયા હતા,શનિવારે દેશમાં 2075 કોરોના કેસ આવ્યાં હતા. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના કેસમાં ઘટાડો તો થયો છે પરંતુ મોતનો આંકડો વધ્યો છે જે ચિંતાજનક છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી 127 લોકોના મોત થયા છે જે શનિવારે ફક્ત 71 હતા.
દેશમાં રસીકરણનો આંકડો 181 કરોડને પાર પહોંચ્યો
આપને જણાવી દઈએ તે, અત્યાર સુધીમાં કોવિડ 19 વિરોધી રસીના 181.19 કરોડથી વધારે ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શનિવારે સાંજ સુધીમાં 13,63,853 ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે, 12-14 વર્ષના બાળકોને અત્યાર સુધીમાં રસીના 16,76,515 ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ તથા 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને અત્યાર સુધીમાં 2,17,30,449 બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.